SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૮-૧૨૨૯ કરણ પણ, અનુષ્ઠાયેલ=આચરણ કરાયેલ, સંભળાય છે, કેમ કે મારી પુ િઇત્યાદિ વચન છે. અને ધર્મરત્નમાલા આદિ વાચકના ગ્રંથોમાં આના ગત=જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવગત, દેશના જ સંભળાય છે; કેમ કે “જિનભવન' ઇત્યાદિ વચન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વજસ્વામીએ માહેશ્વરી ઉદ્યાનમાંથી પુષ્પો લાવીને શ્રાવકોને જિનબિંબની પૂજા કરવા અર્થે આપેલા. આથી નક્કી થાય કે વજસ્વામીએ પુષ્પો લાવીને શ્રાવકો પાસે જિનબિંબની પૂજા કરાવવા દ્વારા દ્રવ્યસ્તવ કરાવ્યો હતો અને પુષ્પો લાવી આપવાની ક્રિયા કરવારૂપ દ્રવ્યસ્તવ તત્ત્વથી સ્વયં પણ કર્યો હતો. વળી, પૂ. ઉમાસ્વાતિ વાચકવર રચિત ધર્મરત્નમાલા આદિ ગ્રંથોમાં જિનભવન આદિ કરવા વિષયક ઉપદેશ પણ સંભળાય છે. તેથી નક્કી થાય કે સાધુને ઉપદેશ આપવા દ્વારા જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવ કરાવવામાં તો દોષ નથી, પરંતુ અપવાદથી જિનપૂજાદિરૂપ દ્રવ્યસ્તવ સ્વયં કરવાનો પણ શાસ્ત્રમાં નિષેધ નથી. માટે સાધુને ભાવસ્તવ જ છે, દ્રવ્યસ્તવ નહીં, એમ કહેવું ઉચિત નથી. ફક્ત સાધુને ભાવસ્તવ મુખ્યરૂપે છે અને દ્રવ્યસ્તવ ગૌણરૂપે છે. એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. II૧૨૨૮ અવતરણિકા : - પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવથી શ્રાવકોને ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી શ્રાવકને ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે; અને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે, માટે યતિને પણ અનુમોદનાદિરૂપે દ્રવ્યસ્તવ ઇષ્ટ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, જો દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી તો વેદવિહિત એવી યાગમાં થતી હિંસાને તમે દોષરૂપ કહો છો એ તમારો વ્યામોહ છે. આ કથનની જ પૂર્વપક્ષી ગાથા ૧૨૩૩ સુધી પુષ્ટિ કરે છે – ગાથા : आहेवं हिंसा वि ह धम्माय ण दोसयारिणि त्ति ठिअं। एवं च वेअविहिआ णिच्छिज्जइ सेह वामोहो ॥१२२९॥ અન્વયાર્થ : ગાદલ્માદ થી પર શંકા કરે છે – વંકઆ રીતે-પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે એ રીતે, થમા ધર્મ માટે (કરાતી) હિંસા વિ હિંસા પણ સોસયારિત પ્રદોષકારિણી નથી, ત્તિ ઉai એ પ્રમાણે સ્થિત થયું. પૂર્વ ઘ=અને આ રીતે ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારિણી નથી એમ સ્થિત થયું એ રીતે, રૂદ અહીં=ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં, વેવિદિમા સાંવેદવિહિત તે વૈદિક શાસ્ત્રમાં વિધાન કરાયેલી હિંસા, છિન્નડું ઇચ્છાતી નથી, (એ) વામોદો વ્યામોહ છે. * 'દુ વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy