SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૧-૧૨૨૨ અન્વયાર્થ : ફરી ઇતરથા દ્રવ્યસ્તવનું સંપાદન યતિને ઇષ્ટ ન હોય તો, તેં તે=અરિહંત ચેઈયાણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ, સત્યઅનર્થક છે. સ ય અને તે=અરિહંત ચેઈયાણ સૂત્રમાં કરાતી વંદના, તથyવ્યારા તેના અનુચ્ચારણથી પૂજનાદિના ઉચ્ચારણ વગર, મન કહેવાઈ નથી, તીં તેથી મિસંથાર તો=અભિસંધારણરૂપે વિશિષ્ટ ઇચ્છારૂપે, આનું દ્રવ્યસ્તવનું, સંપાઈ રૂદું સંપાદન ઈષ્ટ છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવનું સંપાદન ચતિને ઇષ્ટ ન હોય તો અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ અર્થ વગરનું છે, અને અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતી વંદના પૂજનાદિના ઉચ્ચારણ વગર કહેવાઈ નથી, તેથી વિશિષ્ટ ઇચ્છારૂપે દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને ઇષ્ટ છે. ટીકા : इतरथा त्वनर्थकं तदुच्चारणं, न च तदनुच्चारणेन सा वन्दना भणिता यतेः, तत्-तस्माद् अभिसन्धारणेन-विशिष्टेच्छारूपेण सम्पादनमिष्टमेतस्य-द्रव्यस्तवस्येति गाथार्थः ॥१२२२॥ ટીકાર્ય વળી ઇતરથાયતિને દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ ન હોય તો, તેનું ઉચ્ચારણ=અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ, અનર્થક છે. અને તે વંદના=અરિહંત ચેઇઆણે સૂત્રમાં કરાતી વંદના, વતિને-સાધુને, તેના અનુચ્ચારણથી પૂજનાદિના અનુચ્ચારણથી, કહેવાઈ નથી. તેથી અભિસંધારણરૂપે= વિશિષ્ટ ઇચ્છારૂપે="પૂજન-સત્કારરૂપ દ્રવ્યસ્તવ કરવા દ્વારા શ્રાવકો જે બોધિલાભ અને ક્રમિક મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરે છે તે ફળ પ્રસ્તુત કાયોત્સર્ગથી મને પ્રાપ્ત થાઓ’ એ પ્રકારની વિશિષ્ટ ઇચ્છારૂપે, આનું દ્રવ્યસ્તવનું, સંપાદન ઇષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્ઞાનવિનય : જેનાથી કર્મોનું વિનયન થાય તેને વિનય કહેવાય. વિરતિ સાથે દરેક શાસ્ત્રવચનની સંલગ્નતાનો બોધ કરાવે તેવું જ્ઞાન સમ્યજ્ઞાન છે, અને આવા સમ્યજ્ઞાનમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી સમ્યજ્ઞાનમાં યત્ન કરવો એ જ્ઞાનવિનય છે. વળી તે જ્ઞાનવિનય સ્વયં શાસ્ત્રો ભણવારૂપ પણ હોઈ શકે, અન્યને શાસ્ત્રો ભણાવવારૂપ પણ હોઈ શકે, તેમ જ કોઈ શાસ્ત્રો ભણતા હોય તેને ભણવામાં સહાયક થવારૂપ પણ હોઈ શકે. | દર્શનવિનય સમ્યગ્દર્શનમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી સમ્યગ્દર્શનમાં યત્ન કરવો એ દર્શનવિનય છે. વળી તે દર્શનવિનય સંમતિતર્ક વગેરે દર્શનશાસ્ત્રોનું અધ્યયન છે, અથવા પૂર્ણ પુરુષ એવા ભગવાનના સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે બહુમાન-ભક્તિનો અધ્યવસાય છે. ચારિત્રવિનય : સમ્યગ્યારિત્રમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી ચારિત્રાચારનું સમ્યફ પાલન કરીને ગુપ્તિના અતિશયને કરતો આત્મા ચારિત્રવિનય કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy