SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૦ અવતરણિકા : युक्त्यन्तरमाह - અવતરણિકાર્ય : યુક્તિઅંતરને કહે છે–સાધુને દ્રવ્યસ્તવ કઈ રીતે છે? એ વિષયમાં અન્ય યુક્તિને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૨૧૦માં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થયું કે મુનિને પણ માત્ર ભાવસ્તવ નથી, પરંતુ દ્રવ્યસ્તવ પણ છે. અને તે જ બતાવવા ગાથા ૧૨૧૧માં ગ્રંથકારે કહ્યું કે યતિને પણ અનુમોદનારૂપે દ્રવ્યસ્તવનો લેશ છે. ત્યાં પ્રશ્ન થાય કે મુનિને દ્રવ્યસ્તવ કઈ રીતે સંભવે? તેથી ગાથા ૧૨૧૨-૧૨૧૩માં પ્રથમ તંત્રયુક્તિ આપી કે વંદનામાં દ્રવ્યસ્તવરૂપ પૂજન-સત્કારના હેતુવાળો કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ છે. તેથી સિદ્ધ થયું કે મુનિને દ્રવ્યસ્તવ ગૌણરૂપે છે. વળી ગાથા ૧૨૧૪૧૨૧૫માં અન્ય તંત્રયુક્તિ આપતાં કહ્યું કે સમવસરણમાં રાજા વગેરે જે બલિ આદિ ઉછાળે છે તેનો ભગવાને પ્રતિષેધ કર્યો નથી, તેથી નક્કી થાય કે ભગવાન વડે દ્રવ્યસ્તવ અનુજ્ઞાત છે. વળી ગાથા ૧૨૧૮-૧૨૧૯માં કહ્યું કે જિનભવન કરાવવા વગેરે અનુષ્ઠાનનું ભગવાને નિવારણ કરેલ નથી, તેથી જિનભવનકારણાદિ પણ ભગવાનને અનુમત જ છે અને સાધુઓને પણ જિનભવનકારણાદિનું અનુમોદનાદિ અવિરુદ્ધ છે. હવે પ્રસ્તુત ગાથામાં મુનિને દ્રવ્યસ્તવ કઈ રીતે સંભવે? તે અન્ય યુક્તિ આપવા દ્વારા ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : जं च चऊद्धा भणिओ विणओ उवयारिओ उ जो तत्थ । सो तित्थयरे निअमा ण होइ दव्वत्थया अन्नो ॥१२२०॥ અન્વયાર્થ : = =અને જે કારણથી ઘઉદ્ધિ વિમો મોકચાર પ્રકારે વિનય કહેવાયો છે, તQ =વળી ત્યાં ચાર પ્રકારના વિનયમાં, નો વારિો જે ઔપચારિક (વિનય) છે, તો તે તિસ્થ તીર્થંકરવિષયક નિગમ-નિયમથી વ્યસ્થા-દ્રવ્યસ્તવથી પ્રશ્નો અન્ય હોડું થતો નથી. * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ “વત્' યાત્ અર્થક છે અને તે માત્ નો અન્વય ગાથા ૧૨૨૧ સાથે છે. ગાથાર્થ : અને જે કારણથી ચાર પ્રકારનો વિનય કહેવાયો છે, વળી તેમાં જે ઔપચારિક વિનય છે, તે તીર્થંકરવિષયક નિયમથી દ્રવ્યસ્તવથી અન્ય થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ થાય છે. ટીકા : यश्चतुर्की (? यच्च चतुर्द्धा) भणितो विनयः ज्ञानदर्शनचारित्रौपचारिकभेदात्, औपचारिकस्तु विनयः यस्तत्र-विनयमध्ये स तीर्थकरे नियमाद्-अवश्यन्तया न भवति द्रव्यस्तवादन्यः, अपि तु द्रव्यस्तव एवेति गाथार्थः ॥१२२०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy