SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૯ પણ, (ભગવાનને) મધુમથં વિઅનુમત જ છે. રૂમ એ રીતે તેના વિશેષોને પણ=ભગવાનથી શેષ એવા સાધુઓને પણ, અત્યં અહીં=દ્રવ્યસ્તવરૂપ જિનભવનકારણાદિમાં, મજુમોમામાડ઼અનુમોદનાદિ વિરુદ્ધ અવિરુદ્ધ છે. ગાથાર્થ : જે કારણથી જિનભવનકારાદિ ભગવાન વડે વારણ કરાયા નથી, તે કારણથી અપ્રતિષેધ હોવાને કારણે તંત્રયુક્તિ દ્વારા જિનભવનકારાદિ પણ ભગવાનને અનુમત જ છે, એ રીતે ભગવાનથી શેષ એવા સાધુઓને પણ જિનભવનકારણાદિમાં અનુમોદન વગેરે વિરુદ્ધ નથી. ટીકા : ___ तत्तदप्यनुमतमेव जिनभवनकारणादि, अप्रतिषेधात् कारणात्, तन्त्रयुक्त्या 'परमतमप्रतिषिद्धमनुमतं' इति तन्त्रयुक्तिरित्यनया, इय भगवदनुज्ञानात् शेषाणामप्यत्र साधूनामनुमोदनाद्यविरुद्धम्, आदिशब्दात् कारणादिपरिग्रह इति गाथार्थः ॥१२१९॥ ટીકાર્યઃ તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું તે મુજબ ભગવાને ભરતાદિને કામોની જેમ જિનભવનકારાદિનું વારણ કર્યું નથી તે કારણથી, અપ્રતિષેધરૂપ કારણથી=ભગવાને જિનભવનકારણાદિનો નિષેધ નહીં કરેલ હોવાથી, તંત્રની યુક્તિ દ્વારા=“અપ્રતિષિદ્ધ એવું પરમત અનુમત છે” એવી તંત્રની યુક્તિ છે જેના દ્વારા, તે પણ=જિનભવનકારણાદિ પણ, અનુમત જ છે=ભગવાનને સંમત જ છે. આ રીતે=જિનભવનકારણાદિ જે રીતે ભગવાનને અનુમત છે એ રીતે, ભગવદનુજ્ઞાનથી=ભગવાનની જિનભવનકારાદિમાં અનુજ્ઞા હોવાથી, શેષ એવા સાધુઓને પણ અહીંજિનભવનકારાદિમાં, અનુમોદનાદિ અવિરુદ્ધ છે. માહિશબ્દથી “મનુ નારિ''માં રહેલ “મરિ' શબ્દથી, કારણાદિનો પરિગ્રહ છે કરાવણ અને અપવાદથી કરણનું ગ્રહણ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ભગવાને જિનભવન કરાવવા વગેરે અનુષ્ઠાનનું ભરતાદિને ધારણ કર્યું નથી, તે કારણથી જિનભવનકરાવણ આદિ અનુષ્ઠાનમાં ભગવાનની અનુમતિ પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્રમાં યુક્તિ બતાવી છે કે “અન્યને સંમત અનુષ્ઠાનનો નિષેધ કરવામાં ન આવે તો તે અનુષ્ઠાન નિષેધ નહીં કરનાર વ્યક્તિને અનુમત હોય.” આ પ્રકારની તંત્રયુક્તિથી જિનભવનકરાવણ આદિમાં ભગવાન દ્વારા નહીં કરાયેલા પ્રતિષેધ ભગવાનની જિનભવનકારાદિમાં સંમતિ દર્શાવે છે. વળી, જે અનુષ્ઠાન ભગવાનને અનુમત હોય, તે અનુષ્ઠાન ભગવાનથી શેષ એવા સાધુઓને પણ અનુમોદનીય જ હોય, એમ અર્થથી ફલિત થાય; કેમ કે ભગવાન જેમ વીતરાગ-સર્વજ્ઞ હતા, તેથી પાપકાર્યમાં અનુમતિ આપે નહીં, તેમ સાધુ પણ વીતરાગ થવાના અર્થી હોય છે, તેથી ભગવાનની અનુમતિ ન હોય તેવા અનુષ્ઠાનનું અનુમોદન કરે નહીં; અને ભગવાનની અનુમતિ હોય તેવા અનુષ્ઠાનનું અવશ્ય અનુમોદન કરે, શ્રાવકોને “આ કર્તવ્ય છે' ઇત્યાદિ ઉપદેશ દ્વારા જિનભવનાદિ અનુષ્ઠાન કરાવે પણ; તેમ જ શાસનપ્રભાવના અર્થે વજસ્વામીની જેમ અપવાદથી સ્વયં દ્રવ્યસ્તવ કરે પણ. આથી નક્કી થાય કે જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ સાધુને ગૌણરૂપે છે. ૧૨૧૯તા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy