SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૮-૧૨૧૯ ગાથાર્થ : ભગવાન વડે જિનભવનકરાવણ આદિ પણ ભરતાદિને તે રીતે નિવારણ કરાયેલા નથી, જે રીતે શલ્ય-વિષાદિ વચનો વડે ભરતાદિને જ કામો નિવારણ કરાયા. ટીકા : जिनभवनकारणाद्यपि द्रव्यस्तवरूपं भरतादीनां श्रावकाणां न वारितं तेन भगवता, यथा तेषामेव= भरतादीनां कामाः शल्यविषादिभिर्वचनैर्निवारिताः 'सल्लं कामा विसं कामा' इति गाथार्थः ॥१२१८॥ * “નિમવIRUપિ''માં “મરિ' શબ્દથી જિનબિંબપ્રતિષ્ઠાપન, જિનપૂજાકરણાદિનું ગ્રહણ છે, અને “મપિ' શબ્દથી એ જણાવવું છે કે ભગવાનને જિનભવનકારણાદિ અનુમત ન હોત તો તો ભગવાન ભરતાદિને કામોની. જેમ જિનભવનકારણાદિનું વારણ કરતા, પરંતુ ભગવાને કામોનું વારણ કરેલ છે પણ જિનભવનાકારણાદિનું પણ વારણ કર્યું નથી. ટીકાર્ય : તેના વડે=ભગવાન વડે, દ્રવ્યસ્તવરૂપ જિનભવનકારણાદિ ભરતાદિ શ્રાવકોને તે રીતે વારણ કરાયેલ નથી, જે રીતે “કામો શલ્ય છે, કામો વિષ છે” ઇત્યાદિરૂપ શલ્ય-વિષાદિ વચનો વડે તેઓને જ=ભરતાદિને જ, કામો નિવારણ કરાયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભરતાદિ શ્રાવકોના જિનમંદિર બંધાવવા વગેરે અનુષ્ઠાનનો ભગવાને નિષેધ કર્યો નથી, તેથી “અનિષિદ્ધ અનુમત છે” એ પ્રકારના ન્યાયથી ભરતાદિ શ્રાવકોના જિનમંદિરનિર્માણાદિ અનુષ્ઠાનમાં ભગવાનની સંમતિ છે એમ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે ભગવાને ભરતાદિના જિનમંદિરનિર્માણાદિ અનુષ્ઠાનની સાક્ષાત્ પ્રશંસા કરી નથી, તેથી તેમાં ભગવાનની અનુમતિ છે એમ કઈ રીતે કહી શકાય? તેથી કહે છે – જો ભગવાનને જિનમંદિરકારભાદિ અનુષ્ઠાન અનુમત ન હોત તો, જેમ ભગવાને “કામો શલ્ય છે, કામો વિષ છે” ઇત્યાદિ વચનો દ્વારા કામોનું નિવારણ કર્યું, તેમ જિનભવનકારાદિનું પણ ભરતાદિને નિવારણ કરેલ હોત. પરંતુ ભગવાને જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવનું ભરતાદિને નિવારણ કરેલ નથી, તેથી નક્કી થાય કે જિનભવનકારણાદિમાં ભગવાનની અનુમતિ છે. ll૧૨૧૮ ગાથા : ता तं पि अणुमयं चिअ अप्पडिसेहाओ तंतजुत्तीए । इअ सेसाण वि एत्थं अणुमोअणमाइ अविरुद्धं ॥१२१९॥ અન્વયાર્થ : તા તે કારણથી=જે કારણથી જિનભવનકારાદિ ભગવાન વડે વારણ કરાયા નથી તે કારણથી, પડિલેહાગો=અપ્રતિષેધ હોવાને કારણે તંતપુરી તંત્રયુક્તિ દ્વારા તે પિ તે પણ=જિનભવનકારણાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy