SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા 7 ગાથા ૧૨૧૬-૧૨૧૦ ભાવાર્થ : સમવસરણમાં બલિ-બાકુળા ઉછાળતી વખતે રાજા આદિને જે ભગવાનની ભક્તિ કરવાનો ભાવલેશ છે, તે ભાવલેશ મોક્ષને અનુગુણ છે માટે ભગવાનને સંમત છે; પરંતુ બલિ-બાકુળા ઉછાળવાની ક્રિયા આરંભ-સમારંભવાળી હોવાથી ભગવાનને સંમત નથી. આ પ્રકારની શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે યોગ્ય જીવોને બલિ-બાકુળા ઉછાળવાના વ્યાપારરૂપ દ્રવ્યસ્તવ કર્યા વગર ભગવાનની ભક્તિનો ભાવલેશ થતો નથી, અને દ્રવ્યસ્તવકાળમાં વર્તતો ભગવાનની ભક્તિનો ભાવલેશ મોક્ષનું કારણ છે. તેથી જેમ મોક્ષના કારણભૂત એવો ભાવલેશ ભગવાનને અનુમત છે, તેમ ભાવલેશના કારણભૂત એવો દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત છે. અહીં બલિ આદિ કરતી વખતે શ્રાવકોને થતા ભાવને ‘ભાવલેશ' કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના અર્થી સાધુ વીતરાગ થવા માટે સર્વ સંગનો ત્યાગ કરીને પોતાનામાં પ્રગટેલી સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષતાને અતિશયિત કરવા અર્થે જે ઉદ્યમ કરે છે, તે પરમાર્થથી મોક્ષને અનુકૂળ એવો શ્રેષ્ઠ ભાવ છે; અને આવો શ્રેષ્ઠ ભાવ મોક્ષના અર્થી પણ શ્રાવકો કરી શકતા નથી, તેથી તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞા પાળવાની શક્તિનો સંચય કરવાની અભિલાષાથી તે શક્તિસંચયના ઉપાયભૂત એવા દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે છે, તે ઉદ્યમકાળમાં શ્રાવકને જે ભાવ વર્તે છે તે “ભાવ', સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાનો ઉદ્યમ કરતા સાધુના ભાવની અપેક્ષાએ “લેશ' છે. આથી બલિ આદિ કરતી વખતે શ્રાવકમાં વર્તતા ભગવાનની ભક્તિના ભાવને “ભાવ” ન કહેતાં “ભાવનો લેશ” કહેલ છે. II૧ ૨૧દા અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ વગર ભાવલેશ નથી, એથી અર્થથી ભાવલેશની જેમ જ દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત છે. એને જ કહે છે – ગાથા : कज्जं इच्छंतेणं अणंतरं कारणं पि इटुं तु । जह आहारजतित्तिं इच्छंतेणेह आहारो ॥१२१७॥ અન્વયાર્થ : નદ જે રીતે માદારતિત્તિ રૂછંતેT=આહારજતૃપ્તિને=આહારથી ઉત્પન્ન થતી તૃપ્તિને, ઇચ્છતા એવા પુરુષ વડે, રૂદ અહીં=લોકમાં, મહારોઃ આહાર (ઈષ્ટ થાય છે, તે રીતે) ઝં રૂછંતેT=કાર્યને ઇચ્છતા એવા પુરુષ વડે મviતાં ર0 પિકઅનંતર કારણ પણ કૈં તુ=ઈષ્ટ જ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy