SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૦-૧૨૧૧ ૧૩૧ ભાવાર્થ : અત્યાર સુધી દ્રવ્યસ્તવ કેવા પ્રકારનો છે?, તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કઈ રીતે થાય છે? અને દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરે છે? તે સર્વ વિસ્તૃત રીતે બતાવ્યું. હવે કહે છે કે આવો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે; પરંતુ શ્રાવક જે કરે છે તે દ્રવ્યસ્તવ, ભાવસ્તવથી અનુવિદ્ધ નથી અને સાધુ જે કરે છે તે ભાવસ્તવ, દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ નથી એમ નહીં. વળી, આ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નિશ્ચયથી કહેવાયેલ વિષયવાળો જ છે અર્થાત્ પરમાર્થથી વીતરાગના વિષયવાળો જ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ વીતરાગને અવલંબીને બાહ્ય રીતે ઉપચારાત્મક આચરણા કરવા સ્વરૂપ છે, અને અંતરંગ રીતે વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ જવા સ્વરૂપ છે. આથી દ્રવ્યસ્તવ પરમાર્થથી વીતરાગના વિષયવાળો છે અને વીતરાગભાવ તરફ ગમનરૂપ ભાવસ્તવના પરિણામથી યુક્ત છે. તેથી શ્રાવકનો દ્રવ્યસ્તવ ભાવસ્તવથી અનુવિદ્ધ છે અર્થાત્ અલ્પ ભાવસ્તવથી યુક્ત એવો દ્રવ્યસ્તવ વીતરાગગામી પરિણામવાળો છે. વળી ભાવસ્તવની પ્રવૃત્તિ પરમાર્થથી વીતરાગને અવલંબીને વીતરાગ થવાના યત્ન સ્વરૂપ છે, અને ભાવસ્તવના પરિણામ અંતર્ગત ઉત્તમ દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના દ્રવ્યસ્તવના અનુમોદન સ્વરૂપ છે. આથી ભાવસ્તવ વીતરાગના વિષયવાળો છે અને ભગવાનના પૂજન-સત્કારના અનુમોદનરૂપ દ્રવ્યસ્તવના પરિણામથી યુક્ત છે. તેથી સાધુનો ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ છે અર્થાત્ અલ્પ દ્રવ્યસ્તવથી યુક્ત એવો ભાવસ્તવ વીતરાગગામી પરિણામવાળો છે. આમ, શ્રાવકને અલ્પ ભાવસ્તવથી યુક્ત એવો પ્રધાન દ્રવ્યસ્તવ હોય છે, અને સાધુને અલ્પ દ્રવ્યસ્તવથી યુક્ત એવો પ્રધાન ભાવસ્તવ હોય છે. આથી જ શ્રાવકના વીતરાગગામી સ્તવને દ્રવ્યસ્તવ કહેવાય છે, અને સાધુના વીતરાગગામી સ્તવને ભાવસ્તવ કહેવાય છે. ૧૨૧oll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે. ફક્ત શ્રાવકને દ્રવ્યસ્તવ પ્રધાનરૂપે છે અને સાધુને ભાવસ્તવ પ્રધાનરૂપે છે. ત્યાં શંકા થાય કે સાધુને ગૌણરૂપે દ્રવ્યસ્તવ કઈ રીતે છે? તે જ બતાવે છે – ગાથા : जइणो वि हु दव्वत्थयभेओ अणुमोअणेण अत्थि त्ति । एअं च इत्थ णेअं इय सिद्धं तंतजुत्तीए ॥१२११॥ અન્વયાર્થ : મજુરોગા =અનુમોદનરૂપે રદ્યસ્થ મેમોદ્રવ્યસ્તવનો ભેદ નફો વિનયતિને પણ સ્થિત્તિ છે જ. રૂલ્ય ચ=અને અહીં દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, તંતગુત્તીણ તંત્રયુક્તિથી શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી, રૂથ આ રીતે=હવે બતાવાશે એ રીતે, આ=અનુમોદન, સિદ્ધ -સિદ્ધ જાણવું. » ‘ત્તિ' gવ કાર અર્થમાં છે. * “દુ' વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy