SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૧૧-૧૨૧૨ ગાથાર્થ : અનુમોદનરૂપે દ્રવ્યસ્તવનો ભેદ યતિને પણ છે જ. અને દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી હવે બતાવાશે એ રીતે અનુમોદન સિદ્ધ જાણવું. ટીકાઃ यतेरपि द्रव्यस्तवभेदो-लेशः अनुमोदनेनाऽस्त्येव द्रव्यस्तवस्य, एतच्चाऽत्र ज्ञेयमनुमोदनमेवं सिद्ध तन्त्रयुक्त्या वक्ष्यमाणयेति गाथार्थः ॥१२११॥ ટીકાર્ય : દ્રવ્યસ્તવના અનુમોદનરૂપે દ્રવ્યસ્તવનો ભેદ=લેશ દ્રવ્યસ્તવનો અંશ, પતિને પણ=સાધુને પણ, છે જ. અને અહીં=દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, વક્ષ્યમાણ તંત્રની યુક્તિથી=આગળની ગાથામાં કહેવાશે એ શાસ્ત્રની યુક્તિથી, આ રીતે હવેની ગાથાઓમાં બતાવાશે એ રીતે, આ=અનુમોદન, સિદ્ધ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈપણ પ્રવૃત્તિ જેમ મન-વચન-કાયાથી થાય છે, તેમ કરણ-કરાવણ-અનુમોદનથી પણ થાય છે; અને સાધુ કોઈપણ સાવધ પ્રવૃત્તિ મન-વચન-કાયાના યોગથી સ્વયં કરતા નથી, કોઈની પાસે કરાવતા નથી, અને સંસારી જીવોથી કરાતી સાવદ્ય પ્રવૃત્તિનું અનુમોદન પણ કરતા નથી; આમ છતાં કોઈ શ્રાવક ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી સુંદર ભક્તિ કરતા હોય તો, તેને જોઈને સાધુ અધ્યવસાય કરે કે “આ શ્રાવક ભગવાનની ભક્તિ કરીને પોતાનો જન્મ સફળ કરે છે,” અને આવો અધ્યવસાય દ્રવ્યસ્તવના અનુમોદનના પરિણામરૂપ છે. આમ સાધુ સદા ભગવાનના ગુણોનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ વીતરાગને અવલંબીને વીતરાગતા તરફ જવાના યત્નસ્વરૂપ હોવાથી ભાવસ્તવ છે, અને તે ભાવસ્તવઅંતર્ગત સાધુ, શ્રાવક દ્વારા ઉત્તમ પ્રકારે કરાતા દ્રવ્યસ્તવનું જે અનુમોદન કરે છે, તે દ્રવ્યસ્તવનો ભેદ હોવાથી દ્રવ્યસ્તવ છે. આથી સાધુનો ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ જ હોય છે એમ નક્કી થાય. કેવલ સાધુને દ્રવ્યસ્તવ કરણ, કરાવણ અને અનુમોદનરૂપ ત્રણ અંશના એક દેશરૂપ હોવાથી અંશમાત્ર છે અને શ્રાવકને દ્રવ્યસ્તવ કરણ, કરાવણ અને અનુમોદનરૂપ હોવાથી પ્રધાનરૂપે છે. વળી, સાધુ દ્રવ્યસ્તવનું અનુમોદન કરે છે, એ વાત શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી સિદ્ધ છે, અને તે શાસ્ત્રોક્ત યુક્તિ સ્વયં ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવે છે. /૧૨૧૧ અવતરણિકા: પૂર્વગાથાના અંતે કહ્યું કે સાધુને દ્રવ્યસ્તવનું અનુમોદન તંત્રની યુક્તિથી સિદ્ધ જાણવું. તેથી હવે તે તંત્રની યુક્તિ જ બતાવે છે – ગાથા : तंतम्मि वंदणाए पूअणसक्कारहेउमुस्सग्गो । जइणो वि हु निद्दिट्ठो ते पुण दव्वत्थयसरूवे ॥१२१२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy