SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગાથા: અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૮-૧૨૦૯ निच्छयमया जमेसा चरणपडिवत्तिसमयओ पभिई । आमरणंतमजस्सं संजमपरिपालणं विहिणा ॥ १२०८ ॥ નિયમયા=નિશ્ચયના મતથી પરાવિત્તિસમયઓ પમિડું આમળતં-ચરણની પ્રતિપત્તિના સમયથી માંડીને આમરણાંત અનŔ-અજગ્ન=સતત, વિત્તિ-વિધિથી ખં સંનમપરિપાલÍ=જે સંયમનું પરિપાલન સા=આ છે=આરાધના છે. ગાથાર્થ નિશ્ચયનયના મતથી ચારિત્રના સ્વીકારના સમયથી માંડીને મરણના અંત સુધી સતત વિધિપૂર્વક જે સંયમનું પરિપાલન આરાધના છે. ટીકા : निश्चयमताद् यदेषा आराधना चरणप्रतिपत्तिसमयतः प्रभृत्याऽऽमरणान्तमजस्त्रम् = अनवरतं संयमपरिपालनं विधिनेति गाथार्थः ॥ १२०८ ॥ ટીકાર્થ: નિશ્ચયના મતથી ચરણની પ્રતિપત્તિના સમયથી પ્રભૃત્ય=ચારિત્રના સ્વીકારની પ્રથમ ક્ષણથી માંડીને, આમરણાંત=મરણના અંત સુધી, અજસ્ર=અનવરત=સતત, વિધિથી જે સંયમનું પરિપાલન, એ આરાધના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી શ્રાવક શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત ગાથામાં કહે છે કે એ આરાધના નિશ્ચયનયના મતથી સતત વિધિપૂર્વકનું નિરતિચાર સંયમનું પરિપાલન છે. આથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવ કાળમાં અત્યંત અપ્રમાદભાવપૂર્વક સતત શુભ ચિંતા કરનારા શ્રાવકને નિશ્ચયનયને અભિમત એવા શુદ્ધ સંયમની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનું તાત્પર્ય છે. ૧૨૦૮ Jain Education International અવતરણિકા : ગાથા ૧૨૦૭ માં કહ્યું કે જિનમંદિર વિષયક અપ્રતિપતિત શુભ ચિંતા કરનારા શ્રાવક તેના ફળરૂપે ભાવચારિત્રનો પાર પામે છે અને શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે; તેમ જ પૂર્વગાથામાં કહ્યું કે આજીવન વિધિપૂર્વક સંયમનું પરિપાલન એ આરાધના છે. હવે આ આરાધનાને કરનારા શ્રાવકને ફળરૂપે શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy