SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૦૦-૧૨૦૮ શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી, સકતે=દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક, મરાદvi-આરાધનાને નહટ્ટ પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : વળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી ભાવચરણના પારને પામે છે. અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક આરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકા : अप्रतिपतितशुभचिन्ताभावाज्जितकर्मपरिणतेस्तु सकाशाज्जिनायतनविषयायाः एतस्य-चरणस्य यात्यन्तं, ततः स आराधनां लभते शुद्धामिति गाथार्थः ॥१२०७॥ ટીકાર્ય : વળી જિનાયતનના વિષયવાળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી આના=શરણના, અંતને પારને, પામે છે. તેનાથી=અપ્રતિપતિત શુભચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી, તે દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક, શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનમંદિરનું નિર્માણ કરતી વખતે શ્રાવક શુભ વિચારણા કરે છે કે “આ જિનમંદિર જેટલા કાળ સુધી સુરક્ષિત રહેશે તેટલા કાળ સુધી અન્ય જીવોને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિનું કારણ બનશે, અને તે જીવો ભગવાનની ભક્તિ કરીને સંયમનો પરિણામ પામશે અને ક્રમે કરીને સંસારસાગરનો પાર પામશે. આથી આ જિનમંદિરનું દીર્ઘકાળ સુધી રક્ષણ થાય તે માટે મારે પ્રયત્ન કરવો જોઈએ.” આ પ્રકારના તે શ્રાવકના હૈયામાં સતત વર્તતા શુભ ભાવથી તે શ્રાવક જિનમંદિરના રક્ષણના ઉપાયમાં જે યત્ન કરે છે, તેનાથી બંધાયેલ પુણ્યાનુબંધી પુણ્ય કર્મના કારણે તે શ્રાવકને ભવાંતરમાં ભાવથી સંયમની પ્રાપ્તિ થાય છે, અને સંયમ ગ્રહણ કરીને સંયમના પારને પામે છે; કેમ કે તે શ્રાવકે આ ભવમાં સતત શુભ ચિંતા કરવારૂપ પોતાની ભૂમિકાને અનુરૂપ દ્રવ્યસ્તવમાં જે અપ્રમાદભાવ કેળવ્યો છે, તે અપ્રમાદભાવથી તે જીવને ભવાંતરમાં અપ્રમાદભાવવાળા ચારિત્રની પ્રાપ્તિ કરાવે તેવા કર્મનો સંચય થાય છે, જેથી તે દ્રવ્યસ્તવથી ચારિત્રની નિષ્ઠા પમાડે તેવો અપ્રમાદભાવ ઉલ્લસિત થાય છે, જે અપ્રમાદભાવથી તે શ્રાવક ચારિત્રના પારને પામે છે અને શુદ્ધ આરાધનાને પામે છે. ./૧૨૦ણી. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાW: આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. તેથી હવે તે આરાધનાના સ્વરૂપને જ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy