SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪-૧૨૦૫ ૧૨૩ ભાવાર્થ : ગાથા ૧૧૯૮માં વિશિષ્ટ લેગ્યા વગેરેને આશ્રયીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી. હવે વિશિષ્ટ વેશ્યાવાળા સાધુ કેવી પ્રવૃત્તિ કરનારા હોય છે એ રૂપ લેશ્યાના કાર્યને આશ્રયીને અન્ય આચાર્યોના મત પ્રમાણે ભાવસાધુની કષાદિ ચાર પરીક્ષાઓ બતાવે છે – જે રીતે સુવર્ણના અધિકારમાં સુવર્ણની કષાદિ પરીક્ષા સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવા વગેરેથી થાય છે, તે રીતે સાધુના અધિકારમાં સાધુની કષાદિ પરીક્ષા સાધુના ઉદિષ્ટભોસ્તૃત્વાદિ કાર્ય પરથી થાય છે. તે આ રીતે જે સાધુ પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે પોતાને ઉદ્દેશીને કરાયેલા અન્નનો ભોગ વગેરે કરતા નથી તે સાધુ કષપરીક્ષાથી શુદ્ધ છે; કેમ કે ભગવાનના વચનને પરતંત્ર થઈને સર્વ પ્રવૃત્તિ કરનારા સાધુ વિશિષ્ટ લેશ્યાવાળા હોય છે, તેથી તેઓ આકુટિકાથી ઉદિષ્ટ અન્નનો ભોગ વગેરે કરતા નથી. વળી, જે સાધુના જીવનમાં ઉદિષ્ટ અન્નનો ભોગ વગેરેનો પરિહાર સદા વર્તતો હોય તે સાધુનું જીવન તે પ્રકારના એક સારવાળું હોવાથી તે સાધુ છેદપરીક્ષાથી શુદ્ધ છે. વળી સાધુની તાપપરીક્ષા અને તાડનપરીક્ષા અન્ય આચાર્યોના મતમાં પણ ગાથા ૧૧૯૮માં બતાવી છે એ પ્રમાણે જાણવી. આમ, આ કષાદિ ચાર પ્રકારે સાધુની પરીક્ષા કરવાથી “આ ભાવસાધુ છે” તેવો નિર્ણય થઈ શકે છે. આ પ્રકારે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – જેમ સુવર્ણની પરીક્ષાના પ્રક્રમમાં સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવા વગેરે દ્વારા સુવર્ણની પરીક્ષા કરવી જોઈએ, તેમ સાધુની પરીક્ષાના પ્રક્રમમાં ભગવાનની આજ્ઞાની પરતંત્રતાના પરિણામથી યુક્ત ઉદ્દિષ્ટભોઝુવાદિના પરિવાર દ્વારા સાધુની પરીક્ષા કરવી જોઈએ. ll૧૨૦૪ અવતરણિકા : निगमयन्नाह - અવતરણિતાર્થ : નિગમન કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા ૧૧૯૧માં કહેલ કે ૧૮૦૦૦ શીલાંગનું દુરનુચરપણું હોવાને કારણે પૂર્વાચાર્યો વડે પ્રમાણથી સ્થિતાર્થવાળા ભાવસાધુ કહેવાયા છે. તેથી ગાથા ૧૧૯૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ બતાવીને તેની અત્યાર સુધી વિચારણા કરી. તે સર્વ કથનનું હવે નિગમન કરતાં ગ્રંથકાર કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy