SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૫ ગાથા : तम्हा जे इह सत्थे साहुगुणा तेहिं होइ सो साहू। अच्चंतसुपरिसुद्धेहिँ मोक्खसिद्धि त्ति काऊणं ॥१२०५॥ અન્વયાર્થ : તષ્ફી તે કારણથી વંતસુપરિશુદ્ધëિ અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોવલ્લસિત મોક્ષની સિદ્ધિ થાય છે. ત્તિ વIઝviએથી કરીને રૂદ સત્યે આ શાસ્ત્રમાં=આ પંચવડુક ગ્રંથમાં, ને સદુ૫UTI=જે સાધુગુણો (કહેવાયા છે,) તેદિં તેઓ વડે તો સાદૂ રોડ઼ આ સાધુના લિંગવાળા આ, સાધુ થાય છે. ગાથાર્થ : તે કારણથી અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોક્ષની સિદ્ધિ થાય છે. એથી કરીને આ પંચવસ્તુક ગ્રંથમાં પૂર્વે જે સાધુના ગુણો કહેવાયા છે, તે ગુણો વડે સાધુના લિંગવાળા આ સાધુ થાય છે. ટીકા : ___ तस्माद् य इह शास्त्रे भणिताः साधुगुणा:-प्रतिदिनक्रियादयस्तैः करणभूतैर्भवत्यसौ भावसाधुः, नाऽन्यथा, अत्यन्तसुपरिशुद्धैः तैरपि न द्रव्यमात्ररूपैः मोक्षसिद्धिरिति कृत्वा, भावमन्तरेण तदनुपपत्तेरिति થાર્થ: ૨૨૦૧૫ ટીકાર્ય : તે કારણથી=ગાથા ૧૧૯૧થી અત્યાર સુધી બતાવ્યું એમ છે તે કારણથી, આ શાસ્ત્રમાં=આ પંચવસ્તુક ગ્રંથમાં, પ્રતિદિનક્રિયા આદિ જે સાધુગુણો કહેવાયા છે, કરણભૂત એવા તેઓ વડે=સાધનભૂત એવા તે પ્રતિદિનક્રિયા આદિ સાધુગુણો વડે, આ=સાધુના લિંગવાળા આ, ભાવસાધુ થાય છે, અન્યથા નહીં. અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોક્ષની સિદ્ધિ થાય છે. એથી કરીને દ્રવ્યમાત્રરૂપ તેઓ વડે પણ નહીં=દ્રવ્યમાત્રરૂપ પ્રતિદિનક્રિયા આદિ સેવવા વડે પણ સાધુલિંગવાળા ભાવસાધુ થતા નથી; કેમ કે ભાવ વગર તેની અનુપપત્તિ =સંવેગના પરિણામરૂપ ભાવ વગર મોક્ષની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૧૯૧થી પ્રારંભીને અત્યાર સુધીમાં જે વર્ણન કર્યું તેનો સંક્ષેપથી ફલિતાર્થ બતાવતાં કહે છે કે આ ગ્રંથમાં પૂર્વે પ્રતિદિનક્રિયા આદિ જે સાધુના ગુણો બતાવાયા છે, તે સાધુના ગુણોનું અત્યંત સુપરિશુદ્ધ પાલન કરનારા સાધુ ભાવસાધુ છે, પરંતુ બાહ્ય આચરણારૂપે માત્ર દ્રવ્યથી સાધુના ગુણોનું પાલન કરનારા સાધુ ભાવસાધુ નથી; કેમ કે મોક્ષને અનુકૂળ એવી સંવેગની પરિણતિ વગર માત્ર બાહ્ય આચરણાત્મક પ્રતિદિનક્રિયા આદિથી મોક્ષની નિષ્પત્તિ થતી નથી. આથી મોક્ષના અર્થી સાધુ અત્યંત સંવેગપૂર્વક પ્રતિદિનક્રિયા આદિ કરે તો તેઓ ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા અવશ્ય મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy