SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૩ ૧૨૧ ટીકા : ___ उद्दिश्य कृतं भुङ्क्ते आकुट्टिकया षट्कायप्रमईनो निरपेक्षतया, गृहं करोति देवव्याजेन, प्रत्यक्षं च जलगतान् प्राणिनो यः पिबत्याकुट्टिकया एव, कथं न्वसौ साधुर्भवति ? नैवेति गाथार्थः ॥१२०३॥ ટીકાર્થ : નિરપેક્ષપણું હોવાથી છ કાયનું પ્રમર્દન કરનાર જે આકુટ્ટિકાથી=નિરપેક્ષતાથી, ઉદ્દેશીને કરાયેલને= સાધુને ઉદ્દેશીને કરાયેલા ભોજનને, ભોગવે છે; દેવના વ્યાજથી=ભગવાનના બહાનાથી, ઘરને કરે છે, અને આકુટ્ટિકાથી જ=નિરપેક્ષતાથી જ, પ્રત્યક્ષ જલગત પ્રાણીઓને=પાણીમાં રહેલા જીવોને, પીવે છે; એ સાધુ કેવી રીતે હોય? અર્થાત્ ન જ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમના પાલન પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા સાધુ યતનાપરાયણ હોતા નથી, અને છ કાયનું ઉપમર્દન કરનારા હોય છે. આવા સાધુ શાતાના અર્થી હોવાથી પોતાને જે ભોજન અનુકૂળ હોય તે ભોજન ગૃહસ્થો પાસે પોતાને ઉદ્દેશીને કરાવે છે અને તેવા ઉદ્દેશીને કરાવેલા ભોજનને વાપરે છે. વળી, “જિનમંદિરનિર્માણાદિ ભગવાનની ભક્તિનું કાર્ય છે,” એ પ્રકારે ભગવાનનું અવલંબન લઈને, “આ કાર્ય માટે પોતાને અહીં રહેવું આવશ્યક છે” એમ લોકોને કહીને પોતાને રહેવાનું સ્થાન ઊભું કરે છે, તેમ જ સચિત્ત-અચિત્તની જયણા કર્યા વગર પ્રત્યક્ષ અષ્કાયના જીવોને આકુટિકાથી પીવે છે. સંક્ષેપથી, આવા સાધુ પકાયના પાલનમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ પોતાની અનુકૂળતાને અનુરૂપ જે જે પ્રવૃત્તિ આવશ્યક જણાય છે તે પ્રવૃત્તિ સંયમથી નિરપેક્ષપણે કરતા હોય છે. આથી તેઓ લોકમાં સાધુ તરીકે પૂજાતા હોય કે યત્કિંચિત્ ભિક્ષાટનાદિ સાધ્વાચાર પાળતા હોય, તોપણ તેઓ ભાવથી સાધુ નથી. અહીં ‘માવિય' શબ્દનું તાત્પર્ય એ છે કે પ્રતિસેવના અર્થાત્ ઉત્સર્ગની આચરણાથી વિપરીત આચરણા, ચાર પ્રકારે થાય છે : (૧) કલ્પિકાથી (૨) દપિકાથી (૩) પ્રમાદથી અને (૪) આકુટિકાથી. (૧) આગાઢ કારણોમાં સાધુ અપવાદિક આચરણા માટેની ઉચિત યતનાપૂર્વક ઉદ્દિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે કલ્પિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. (૨) આગાઢ કારણોમાં અપવાદથી ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરતી વખતે કંઈક રાગાદિની આકુળતા થવાથી ઉચિત યતના સમ્યફ કરે નહીં તે દર્ષિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. (૩) અપવાદ સેવતી વખતે “આ આચરણા ઉત્સર્ગથી વિપરીત છે' તેવો બોધ હોવા છતાં, અને “આવી વિપરીત આચરણા મારે ન કરવી જોઈએ તેવી રુચિ હોવા છતાં, પ્રમાદને કારણે ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે પ્રમાદથી કરાયેલી વિપરીત આચરણા છે. (૪) સંયમ પ્રત્યે નિરપેક્ષ પરિણામ હોવાને કારણે યતનાનો વિચાર કર્યા વગર પોતાને અનુકૂળ હોય તે પ્રકારે પ્રવૃત્તિ કરનારા સાધુમાં છ જવનિકાયનું આકુટન કરવાનો પરિણામ હોવાથી, તે સાધુ જે કાંઈ ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે સર્વ આકુટ્ટિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. ૧૨૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy