SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ દષ્ટાંતથી પ્રાપ્ત અર્થાત્ રાધાવેધ કરનાર પુરુષને જેમ અપ્રમાદ કરવાથી પ્રાપ્ત થતા ભૌતિક સુખનો બોધ હોવાથી તે પુરુષ રાધાવેધ કરવા માટે અત્યંત અપ્રમાદને પામેલો હોય છે, તેમ શીલનું પાલન કરનાર જીવને લક્ષને અનુરૂપ ઉપયોગપૂર્વક શીલનું પાલન કરવાથી પ્રાપ્ત થતા મોક્ષસુખનો બોધ હોવાથી લક્ષની નિષ્પત્તિ માટે અત્યંત અપ્રમાદને પામેલો; આનેત્રશીલને, કરવા માટે પાળવા માટે, સમર્થ છે, પરંતુ અન્ય ક્ષુદ્ર સત્ત્વ= ઉપર બતાવ્યા એવા વિશેષણો વગરનો શુદ્ર જીવ, નહીં=શીલને પાળવા માટે સમર્થ નથી, કેમ કે અનધિકારીપણું છે=ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરનો જીવ સર્વ સાવદ્ય યોગોની વિરતિને ગ્રહણ કરવા માટે અધિકારી નથી. બે કથાનક પ્રતીત છે–તૈલપાત્રધારકનું અને રાધાવેધસાધકનું દષ્ટાંત લોકમાં પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૬૩થી શરૂ કરીને અત્યાર સુધી ૧૮૦૦૦ શીલાંગોના પાલનની દુષ્કરતા બતાવી. હવે આવા દુષ્કર શીલનું પાલન કેવા જીવો કરી શકે છે? તે બતાવવા અર્થે કહે છે કે જેઓ ગુરુના ઉપદેશથી સંસારના અનંત મરણાદિ સ્વરૂપને જાણતા હોય અને તે અનંત મરણાદિથી રહિત એવા મોક્ષને જાણતા હોય, તેવા જીવો દુષ્કર એવા ૧૮OOO શીલાંગોરૂપ શીલનું પાલન કરી શકે છે. આશય એ છે કે આત્મા શાશ્વત છે એવું શાસ્ત્રવચનના બળથી જેઓને જ્ઞાન હોય, અને જેઓને યુક્તિથી અને અનુભવના બળથી પણ જણાતું હોય કે શાશ્વત એવો આત્મા એક ભવ પૂરો કરીને અન્ય ભવમાં જન્મે છે, મરે છે, ફરી પાછો અન્ય ભવમાં જન્મ લે છે, ફરી મરે છે; આ રીતે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અનંતા જન્મ, મરણ, જરા, રોગ, શોકાદિનો અનુભવ કર્યો, અને હજુ પણ જીવ સંસારનો ઉચ્છેદ કરવા અર્થે ધર્મમાં ઉદ્યમ નહીં કરે તો અનંતા જન્મ, મરણ, જરા, રોગ, શોકાદિનો અનુભવ પ્રાપ્ત કરશે; વળી જેઓ જાણે છે કે મરણ જેવો કોઈ મહાવ્યાધિ નથી, તેમ જ મોક્ષ સર્વથા કર્મરહિત અવસ્થારૂપ હોવાથી મોક્ષમાં ગયેલા આત્માને મરવું પડતું નથી, ફરી ફરી જનમવું પડતું નથી, જરા, રોગ, શોકાદિ કોઈ ઉપદ્રવ થતા નથી, પરંતુ મરણાદિ સર્વ ઉપદ્રવોથી રહિત આત્માની નિરાકુળ ચેતનાવાળો મોક્ષ છે; આ પ્રકારનો બોધ હોવાથી જેઓ સંસારથી વિરક્ત થયા હોય અને સર્વ ઉપદ્રવોથી રહિત એવી મુક્તાવસ્થાની જેઓને ઇચ્છા થઈ હોય, વળી, ગુરુના ઉપદેશથી જેમણે ભગવાનની નિર્દોષ એવી આજ્ઞાના પાલનથી થતા ગુણો અને ભગવાનની આજ્ઞાના વિરાધનથી થતા દોષો જાણ્યા હોય, તેવા જીવો દુષ્કર એવા ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલનું પાલન કરી શકે છે. આશય એ છે કે સંસારનું અનર્થકારી અને મોક્ષનું સર્વ અનર્થોથી રહિત સ્વરૂપ જાણ્યા પછી વિચારક જીવો સંસારના ઉચ્છેદના અને મોક્ષની પ્રાપ્તિના અર્થી બને છે. અને સંસારનો ઉચ્છેદ કરવાનો અને મોક્ષને પ્રાપ્ત કરવાનો ઉપાય જિનાજ્ઞાનું પાલન છે, એ પ્રકારે ભગવાનની આજ્ઞાની આરાધનાના ગુણોને જાણીને, અને ભગવાનની આજ્ઞાની વિરાધના કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે, એ પ્રકારે ભગવાનની આજ્ઞાની વિરાધનાના દોષોને જાણીને, જિનાજ્ઞાના પાલન અર્થે તેઓ શીલને સ્વીકારે છે, અને શીલને સ્વીકારીને ભગવાનની આજ્ઞાનુસાર સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને પોતાનામાં પ્રગટેલ નિરપેક્ષતા ગુણનો પ્રકર્ષ કરવા અર્થે શ્રુતમાં અને શ્રુતાનુસારી ક્રિયાઓમાં અપ્રમાદભાવથી ઉદ્યમ કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞાના પાલનના ગુણો અને આજ્ઞાની વિરાધનાના દોષો જાણ્યા હોય, તેવા પુરુષોને નિર્ણય હોય છે કે “શ્રુતાનુસારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy