SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ ૧૦૫ ક્રિયા કરવામાં આવે તો જિનાજ્ઞાનું પાલન થવાથી આત્મા નિરાકુળભાવને પ્રાપ્ત કરે છે અને કષાયોની આકુળતા વગરનો જીવ વર્તમાનમાં પણ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. તેથી આત્મામાંથી જેમ જેમ કષાયોની આકુળતા ઓછી થતી જાય છે તેમ તેમ સંસારઅવસ્થામાં પણ આત્માના સુખની વૃદ્ધિ થતી જાય છે, અને જ્યારે કષાયોની આકુળતાનો સંપૂર્ણ ઉચ્છેદ થાય છે ત્યારે આત્મામાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે છે અને અંતે આત્મા સંસારનો ઉચ્છેદ કરે છે. અને કદાચ શીલનો અભ્યાસ આ ભવમાં પૂર્ણતાને ન પામે તોપણ અન્ય ભવમાં તે અભ્યાસ પૂર્ણ કરવામાં ઉપયોગી બને એવા સુદેવત્વની કે સુમનુજત્વની પ્રાપ્તિ થાય છે.” આથી આ પ્રમાણે જાણનાર પુરુષો સંયમ ગ્રહણ કરીને પોતાની શક્તિ પ્રમાણે શ્રુતના અભ્યાસમાં અને શ્રુતાનુસાર ચારિત્રના પાલનમાં તત્પર રહે છે, અને પોતે જે નિરભિમ્પંગભાવમાં યત્ન કરે છે તેનાથી ઉપરના નિરભિવૃંગભાવ પ્રત્યે બદ્ધરાગ રાખીને તે નિરભિવંગભાવ પ્રાપ્ત કરવાને અનુકૂળ શક્તિસંચય કરવા ઉદ્યમ કરે છે. તેથી આવા જીવોનો ઉપયોગ, ભગવાન વડે વિધાન કરાયેલ એવા શ્રત અને શીલના અનુષ્ઠાનથી અન્ય કોઈ અનુષ્ઠાનમાં નહીં વર્તતો હોવાને કારણે, આવા જીવો ઉપર-ઉપરના અસંગભાવની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મરૂપ દોષોને ખપાવી-ખપાવીને ઉપર-ઉપરના અસંગભાવને પ્રાપ્ત કરે છે. વળી તેઓનો માનસ ઉપયોગ સંસારના સર્વ પદાર્થો પ્રત્યે અભિવૃંગ વગરનો હોવાથી તેઓ સર્વ પદાર્થો પ્રત્યે મધ્યસ્થવૃત્તિ ધારણ કરે છે; અને માત્ર ભગવાનની આજ્ઞામાં જ દઢ રાગને ધારણ કરીને સદા જિનાજ્ઞામાં ઉપયુક્ત રહે છે; અને તેઓનું ચિત્ત સંયમના યોગોમાં એકાગ્ર મનવાળું હોય છે. આથી સંસારી જીવોમાં મોહના કલ્લોલને કારણે જે પ્રકારની વિસોતસિકા વર્તતી હોય છે તે પ્રકારની વિસ્રોતસિકાથી રહિત એવું યોગીઓનું ચિત્ત વર્તતું હોય છે, અને સર્વ અનુષ્ઠાનો દ્વારા અસંગભાવની વૃદ્ધિ કરવાના લક્ષ્યમાં સહેજ પણ મોહ પામેલા નહીં હોવાને કારણે તેઓ અમૂઢ લક્ષવાળા હોય છે. વળી, જેમ તેલપાત્રને ધારણ કરનાર પુરુષ મૃત્યુના ભયથી અત્યંત અપ્રમાદપૂર્વક તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર આખા નગરમાં ફેરવીને રાજાને સુપ્રત કરે છે; તેમ શીલને ધારણ કરનાર યોગી સંસારના અનંતા મરણાદિના ભયથી અત્યંત અપ્રમાદપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિમાં યત્ન કરે છે. આવા યોગી જાણતા હોય છે કે “મારો ઉપયોગ ક્ષણભર પણ જિનાજ્ઞાના સ્મરણ વગર પ્રવર્તશે તો મને સંસારવૃદ્ધિને અનુકૂળ કર્મનો બંધ થશે.” આથી તેઓ પોતાનો ઉપયોગ જિનાજ્ઞાથી અન્યત્ર ક્યાંય જાય નહીં તદર્થે મહાસત્ત્વથી ઉદ્યમ કરે છે. વળી, જેમ રાધાવેધ કરનાર પુરુષને નિર્ણય હોય છે કે “હું રાધાવેધ કરીશ તો મને કોઈક મહાન ફળની પ્રાપ્તિ થશે.” તેથી મહાન ફળનો અર્થ એવો તે પુરુષ રાધાવેધ કરતી વખતે અનન્ય ચિત્તથી તત્પર હોય છે; તેમ યોગીને પણ નિર્ણય હોય છે કે “હું અપ્રમાદથી શીલમાં યત્ન કરીશ તો અવશ્ય મોહનો ઉચ્છેદ થવાથી મને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થશે અને સંપૂર્ણ નિરુપદ્રવવાળી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ થશે.” તેથી સિદ્ધ અવસ્થા પ્રત્યે બદ્ધરાગવાળા તે યોગી શીલનું પાલન કરવામાં અત્યંત અપ્રમાદથી તત્પર હોય છે. આવા પ્રકારના જીવો ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલનું પાલન કરવા સમર્થ છે, અન્ય ક્ષુદ્ર જીવો તો મોક્ષના અર્થી હોય તોપણ શીલને સ્વીકારવા માટે અધિકારી નથી. આથી જ મોક્ષના અર્થી પણ શ્રાવકો ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલ પાળવા માટે સમર્થ નથી, છતાં તેઓ મોક્ષના ઉપાયભૂત એવા શીલપાલનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy