SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૫, ૧૧૮૬ થી ૧૧૯૦ છે, અન્ય નહીં=૧૮૦૦૦ શીલાંગોમાંથી એકાદ શીલાંગના ન્યૂનત્વને ધારણ કરનારા સાધુઓ વંદનીય નિર્દેશાયા નથી; કેમ કે “અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા” ઇત્યાદિ વચનનું પ્રામાણ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સંપૂર્ણ વિરતિભાવ નિયમા અઢાર હજાર શીલાંગરૂપ જ જાણવો. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે ભાવસાધુમાં શીલાંગોની ૧૮૦૦૦ સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ ન્યૂનપણું નથી. અહીં પ્રશ્ન થાય કે ભાવસાધુમાં એકાદ શીલાંગ ન્યૂન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – જે કારણથી પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્રમાં આવતા અઢાઇજેસુમાં ૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ જ વંદનીય બતાવાયા છે, અન્ય નહીં; કેમ કે અઢાર્જસુ સૂત્રમાં “૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા” ઇત્યાદિ વચન પ્રમાણભૂત છે. આથી નક્કી થાય કે ભાવસાધુમાં ૧૮૦૦૦માંથી એક પણ શીલાંગ ન્યૂન હોઈ શકે નહીં, કેમ કે સર્વવિરતિ સામાયિક સર્વ પાપની વિરતિરૂપ એક સ્વરૂપવાળું છે. માટે ભાવસાધુ અવશ્ય નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનમાં સદા અપ્રમાદથી ઉદ્યમ કરતા હોય છે. ફક્ત તે ઉદ્યમ ઉત્સર્ગની આચરણાથી સમ્યગુ થઈ શકતો હોય ત્યારે સાધુ ઉત્સર્ગની આચરણામાં ઉદ્યમ કરે છે, અને જ્યારે તે ઉદ્યમ અપવાદની આચરણાથી સમ્યગુ થઈ શકે તેમ હોય ત્યારે સાધુ અપવાદની આચરણાથી ઉદ્યમ કરે છે. આથી સંઘયણબળની નબળાઈને કારણે અથવા તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિને કારણે બાહ્ય આચરણા વિપરીત હોય, તોપણ અંતરંગ રીતે સર્વ જીવો પ્રત્યે અને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાનો ઉદ્યમ કરનારા સાધુઓ અવશ્ય ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત જ છે. ||૧૧૮પી. અવતરણિકા : यस्मादेवं तस्मादेतत् महानेव कश्चित्कर्तुमलं, न तु यः कश्चिदित्येतदाह - અવતરણિતાર્થ : જે કારણથી આમ છે=ગાથા ૧૧૬૩થી ૧૧૮પમાં બતાવ્યું એ પ્રમાણે ૧૮૦૦૦ શીલાંગોનું સુપરિશુદ્ધ પાલન દુષ્કર છે, તે કારણથી આને=૧૮૦૦૦ શીલાંગોના પાલનને, કરવા માટે કોઈ મહાન જ પુરુષ સમર્થ છે, પરંતુ જે કોઈ નહીં=ગમે તે પુરુષ સમર્થ નથી. એ પ્રકારના આ કથનને ગ્રંથકાર ગાથા ૧૧૯૦ સુધી કહે છે – * “રૂચેતવાદ'માં ‘તિ' શબ્દ સ્વરૂપનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે અહીં કહ્યું કે ૧૮૦૦૦ શીલાંગોના પાલનને કોઈ મહાન જ કરી શકે છે, જે કોઈ નહીં, એ સ્વરૂપવાળી આ વસ્તુને જ હવે ગ્રંથકાર કહે છે. ગાથા : ता संसारविरत्तो अणंतमरणाइरूवमेअं तु । णाउं एअविउत्तं मोक्खं च गुरूवएसेणं ॥११८६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy