SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૨-૧૧૮૩ विलङ्घयति-उत्क्रामतीति गाथार्थः ॥११८२॥ * “તળુભેચર વિ'માં “જિ'થી એ જ્ઞાપન કરવું છે કે ગીતાર્થની તો પ્રવૃત્તિ ઉસૂત્ર નથી, પરંતુ તેનાથી યુક્ત એવા ઈતરની પણ ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, પ્રવૃત્તિ ઉત્સુત્ર નથી. ટીકાર્ય : ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી. તેનાથી યુક્ત એવા ઇતરની પણ=ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, પ્રવૃત્તિ તે રીતે જ છે=ઉસૂત્ર નથી. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી ચરણવાળા= ભાવચારિત્રવાળા સાધુ, નિયમથી અવશ્યપણાથી, ક્યારેય આજ્ઞાને વિલંઘતા નથી–ઉત્કામતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગીતાર્થ સાધુ ભગવાનના વચનના પરમાર્થને યથાર્થ જાણનારા હોય છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા હોય છે. આથી તેઓ સંસારથી ભય પામેલા હોય છે, અને તેમને સંસારથી નિસ્ટારનો ઉપાય ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને કરાયેલી પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય હોય છે; કેમ કે ભગવાનના વચનાનુસાર કરાયેલી સર્વ પ્રવૃત્તિ અસંગભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતારૂપ ફળમાં વિશ્રાંત પામે છે અને વીતરાગતાની પ્રાપ્તિ થાય ત્યારે જ જીવના સંસારના પરિભ્રમણનો અંત આવે છે તેમ તેઓ જાણતા હોય છે. આથી ગીતાર્થ સાધુ ક્યારેય ઉત્સુત્ર પ્રવૃત્તિ કરતા નથી. વળી, જે સાધુ ગીતાર્થ નથી છતાં માર્ગાનુસારી બુદ્ધિવાળા છે, તેથી સંસારના પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે છે અને તેથી જ સંસારથી ભય પામેલા છે તે સાધુને પણ સંસારના અંતનો ઉપાય ભગવાનની આજ્ઞા અનુસાર કરાયેલી પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય હોય છે. તેથી તેઓ પણ ગીતાર્થ ગુરુનો નિર્ણય કરીને, તેમને પરતંત્ર થઈને, તે ગીતાર્થના વચનાનુસાર મન-વચન-કાયાની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને ગીતાર્થ સાધુની જેમ સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે છે. આથી ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થ સાધુ પણ ક્યારેય ઉસૂત્ર પ્રવૃત્તિ કરતા નથી. ગીતાર્થ સાધુ અને ગીતાર્યયુક્ત અગીતાર્થ સાધુ કેમ ઉસૂત્ર પ્રવૃત્તિ કરતા નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જે કારણથી ચારિત્રવાળા સાધુ નિયમથી ક્યારેય ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થ સાધુ અને ગીતાર્યયુક્ત અગીતાર્થ સાધુ અંતરંગ રીતે ચારિત્રના પરિણામવાળા હોય છે, તેથી ભગવાનના વચનનું અવલંબન લઈને તેઓ અસંગભાવને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધુ ક્યારેક અપવાદથી બાહ્ય રીતે આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓની તે પ્રવૃત્તિ અંતરંગ વિરતિભાવનો બાધ કરતી નથી. માટે આવા સાધુઓનું ૧૮૦૦૦ શીલાંગોવાળું શીલ સુપરિશુદ્ધ છે. ll૧૧૮રી અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થ સાધુની અને ગીતાર્થ સાધુથી યુક્ત એવા અગીતાર્થ સાધુની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી. ત્યાં પ્રશ્ન થાય કે ગીતાર્થ સાધુ જિનવચનના પરમાર્થને જાણનારા હોય છે અને સંસારથી અત્યંત ભય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy