SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૧ અન્વયાર્થ : જીત્યો વિહારો અને ગીતાર્થ વિહાર, વિટ્ટો રીસ્થીતિનો બીજો ગીતાર્થથી મિશ્રિત (વિહાર) બળિયો કહેવાયો છે. પત્તો આનાથી=આ બે વિહારથી, તફવિદારો ત્રીજો વિહાર નિવેદિં જિનવર વડે મUBUT અનુજ્ઞાત નથી. ગાથાર્થ : અને ગીતાર્થ વિહાર, બીજો ગીતાર્થથી મિશ્રિત વિહાર કહેવાયો છે. આ બે વિહારથી ત્રીજો વિહાર જિનવર વડે અનુજ્ઞાત નથી. ટીકા? गीतार्थश्च विहारः, तदभेदोपचारात्, द्वितीयो गीतार्थमिश्रो भणितो, विहार एव, अतो-विहारद्वयात् तृतीयविहारः-साधुविहरणरूपः नाऽनुज्ञातो जिनवरैः भगवद्भिरिति गाथार्थः ॥११८१॥ ટીકાર્ય : અને ગીતાર્થ વિહાર છે. અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થ સાધુ પોતે વિહાર નથી, પરંતુ ગીતાર્થ સાધુની આચરણા વિહાર છે. તેથી ગીતાર્થનો વિહાર કહેવાને બદલે અહીં ગીતાર્થને જ વિહાર કેમ કહેલ છે? તેથી કહે છે – તેની સાથે અભેદ ઉપચાર હોવાથીeગીતાર્થ સાધુ સાથે ગીતાર્થ સાધુના વિહારનો અભેદ ઉપચાર હોવાથી, ગીતાર્થને વિહાર કહેલ છે. બીજો ગીતાર્થથી મિશ્ર કહેવાયો છે. અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થથી મિશ્ર બીજો શું કહેવાય છે? તેથી કહે છે – વિહાર જ કહેવાયો છે. આનાથી–વિહારદ્રયથીeગીતાર્થ વિહાર અને ગીતાWમિશ્ર વિહાર એ બે વિહારથી, સાધુના વિહરણરૂપ ત્રીજો વિહાર જિનવર વડે=ભગવાન વડે, અનુજ્ઞાત નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં “વિહાર” શબ્દથી મોક્ષને અનુકૂળ એવા સંયમયોગોની કરાતી પ્રવૃત્તિનું ગ્રહણ છે, પરંતુ એક સ્થાનથી બીજા સ્થાને કરાતી ગમનની પ્રવૃત્તિનું ગ્રહણ નથી. આથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને ગીતાર્થ સાધુ જે ઉચિત પ્રવૃત્તિ કરે છે તે સર્વ મોક્ષમાર્ગમાં વિહરણસ્વરૂપ છે. માટે ગીતાર્થ એવા તે સાધુની પ્રવૃત્તિને ભગવાને “વિહારરૂપે કહેલ છે. વળી, જે સાધુ સ્વયં ગીતાર્થ નથી છતાં માર્ગાનુસારી પ્રજ્ઞાવાળા છે, તેથી ગીતાર્થનો નિર્ણય કરીને, ગુણવાન ગુરુને પરતંત્ર થઈને, તેમના વચનથી નિયંત્રિત એવી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે સાધુની પણ સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં વિહરણસ્વરૂપ છે. માટે ગીતાર્થનિશ્રિત એવા તે સાધુની પ્રવૃત્તિને પણ ભગવાને વિહારરૂપે કહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy