SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૭૯-૧૧૮૦, ૧૧૮૧ સાધુના વચનો સાંભળીને તે સ્વમતિ અનુસાર બાહ્ય શુદ્ધ આચરણાઓ કરનાર સાધુ તે ગીતાર્થે નિષેધ કરેલ પ્રવૃત્તિ નહીં કરવારૂપ ગીતાર્થના વચનનો સ્વીકાર કરે, અને ત્યારપછી ગીતાર્થની નિશ્રામાં રહે, તો તે સાધુમાં અભિનિવેશ નહીં હોવાથી તે સાધુની ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરનારી છે, છતાં વિપરીત પ્રવૃત્તિનો પ્રવાહ ચલાવે તેવી નથી. વળી જો સ્વમતિ અનુસાર બાહ્ય શુદ્ધ આચરણાઓ કરનારા તે સાધુને અન્ય કોઈ ગીતાર્થ સાધુ ગચ્છવાસના ગુણો બતાવે, છતાં તે સાધુ તે ગીતાર્થ સાધુના વચનનો અસ્વીકાર કરે, તો તે સાધુમાં અભિનિવેશ હોવાથી તે સાધુની ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરનારી છે અને વિપરીત પ્રવૃત્તિનો પ્રવાહ ચલાવે તેવી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉસૂત્ર પ્રવૃત્તિ કરનારા સાધુઓ બે પ્રકારના હોય છે : (૧) પ્રજ્ઞાપનીય ઃ જે સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે, તે સાધુઓનો ઉત્સુત્ર પ્રવૃત્તિ કરવારૂપ દોષ અલ્પ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવો હોવાને કારણે તેઓને આરાધક-વિરાધક ચતુર્ભગીમાં દેશઆરાધક તરીકે સ્વીકારેલ છે, માટે તેઓની સંયમની આચરણાઓ પ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે. (૨) અપ્રજ્ઞાપનીયઃ જે સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ સાનુબંધ છે, તે સાધુઓનો ઉત્સુત્ર પ્રવૃત્તિ કરવારૂપ દોષ મૂલ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવો હોવાને કારણે તેઓને આરાધક-વિરાધક ચતુર્ભગીમાં સર્વવિરાધક તરીકે સ્વીકારેલ છે, માટે તેઓની સંયમની આચરણાઓ અપ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે. “મૂર્નચ્છવિ' શબ્દનું તાત્પર્ય એ છે કે મિથ્યાભિનિવેશવાળા સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ સાનુબંધ હોય છે, અને તે સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિરૂપ દોષ ભાવચારિત્રના અભાવ વગર થતો નથી, અને તે દોષનો છેદ પણ આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી છઠ્ઠા “મૂલ' નામના પ્રાયશ્ચિત્તથી જ થઈ શકે છે. આથી નક્કી થાય કે મૂલ નામના પ્રાયશ્ચિત્તથી જ જેનો છેદ કરી શકાય તેવા દોષ વગર સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ થતી નથી. (૧૧૭૯/૧૧૮l અવતરણિકા : ગાથા ૧૧૭૫થી ૧૧૭૮માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે આજ્ઞાને પરતંત્ર એવા સાધુ ક્યારેક શૈક્ષ, ગ્લાનાદિ અ બાહ્ય વસ્તુમાં આરંભથી પ્રવૃત્ત હોય તોપણ તત્ત્વથી અપ્રવૃત્ત જ છે, તેથી તે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવનો બાધ કરતી નથી. વળી ગાથા ૧૧૭૯-૧૧૮૦માં સ્થાપન કર્યું કે સ્વમતિ વિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિ આજ્ઞાને પરતંત્ર નહીં હોવાને કારણે ઉત્સુત્ર પ્રવૃત્તિરૂપ છે, તેથી તે ઉસૂત્ર પ્રવૃત્તિ સાધુના વિરતિભાવનો બાધ કરે છે, અને આ વાતને દઢ કરવા અર્થે પૂર્વગાથાના અંતે કહ્યું કે આથી જ ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો હવે કહેવાશે એ કથનને કહે છે. તેથી હવે તે પૂર્વાચાર્યોનું કથન જ બતાવે છે – ગાથા : गीअत्थो उ विहारो बिइओ गीअत्थमीसिओ भणिओ । एत्तो तइअविहारो णाणुण्णाओ जिणवरेहिं ॥११८१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy