SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૦૯-૧૧૮૦ ગાથાર્થ : વળી ગીતાર્થ વડે નિષેધ કરાચે છતે નહીં કરવાનો અસ્વીકાર કરવારૂપ ઉત્સુત્ર પ્રવૃત્તિ મિથ્યાભિનિવેશ હોવાને કારણે સાનુબંધ છે, અને સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ ચારિત્રના અભાવ વગર થતી નથી. અને આથી જ પૂવચાર્યો આગળમાં કહેવાશે એ કથનને કહે છે. ટીકા? ___ इतरा तु-गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा(? गीतार्थनिषिद्धाप्रतिपत्तिरूपा) प्रवृत्तिः अभिनिवेशात्मिथ्याभिनिवेशेन इतरा-सानुबन्धा, न च मूलच्छेद्यविरहेण-चारित्राभावमन्तरेण भवत्येषा-सानुबन्धा प्रवृत्तिः, अत एव कारणात् पूर्वाचार्याः भद्रबाहुप्रभृतयः इदमाहुर्वक्ष्यमाणमिति गाथार्थः ॥११८०॥ નોંધ: ટીકામાં નીતાર્થનિષિપ્રતિપત્તિરૂપા છે તેને નીતાર્થનિષિદ્ધાપ્રતિપત્તિરૂપ હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા 90ની ટીકામાં આ પ્રમાણે પાઠ છે, જે શુદ્ધ ભાસે છે. ટીકાર્ય : વળી ઇતર=ગીતાર્થ વડે નિષિદ્ધની અપ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના અસ્વીકારરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ, અભિનિવેશ હોવાને કારણે=મિથ્યાભિનિવેશ હોવાને કારણે, ઇતર છે=સાનુબંધ છે=પ્રવાહ ચલાવે એવા કૃત્યથી સહિત છે. અને આ=સાનુબંધ પ્રવૃત્તિ, મૂલછેદ્યના વિરહથી=ચારિત્રના અભાવ વગર=ભાવચારિત્રના અભાવ વગર, થતી નથી. આ જ કારણથી નિરનુબંધ ઉત્સુત્ર પ્રવૃત્તિ કે સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે એ જ કારણથી, ભદ્રબાહુ વગેરે પૂર્વાચાર્યો આને-વફ્યુમાણને આગળમાં કહેવાશે એ કથનને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુઓ ગીતાર્થ નથી, પરંતુ બાહ્ય આચરણાઓ વિશુદ્ધ કરવાની મતિવાળા છે, તેઓ ગીતાર્થની નિશ્રા છોડીને પોતાની મતિના વિકલ્પથી શુદ્ધ એવી નિર્દોષ ભિક્ષા લાવવા વગેરે જે પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ ગુરુ-લાઘવના પર્યાલોચન વગરની હોવાથી ઉત્સુત્રરૂપ છે; કેમ કે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેવાથી નવા નવા શ્રુતના અધ્યયન વગેરે દ્વારા પ્રાપ્ત થતી સંવેગની વૃદ્ધિને ગૌણ કરીને માત્ર બાહ્ય રીતે કરાયેલી શુદ્ધ આચરણાઓ અસંગભાવનું કારણ બનતી નથી, તેથી તે પ્રવૃત્તિ સ્વમતિના વિકલ્પથી શુદ્ધ હોવા છતાં પરમાર્થથી અશુદ્ધ છે. વળી, પોતાના ગચ્છને અને ગુરુનિશ્રાને છોડીને બાહ્ય વિશુદ્ધ આચરણાઓ કરનારા કોઈક સાધુને ક્યારેક અન્ય કોઈ ગીતાર્થ સાધુનો યોગ થાય અને તે ગીતાર્થ સાધુ તેને યુક્તિથી સમજાવે કે “ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવાથી નવા નવા શ્રુતના અધ્યયનાદિ દ્વારા અસંગભાવની વૃદ્ધિના કારણભૂત એવા સંવેગની વૃદ્ધિ થાય છે, સારણા આદિ થાય છે અને ગુણવાન ગુરુની ભક્તિ થાય છે, તેથી ગચ્છમાં રહેવાને કારણે ક્યારેક ભિક્ષાદિમાં દોષો સેવવા પડે તોપણ તે દોષો સંયમના બાધક બનતા નથી.” આ પ્રકારના તે ગીતાર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy