SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૦ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ સાધુ સર્વ પ્રવૃત્તિ આજ્ઞાને પરતંત્ર થઈને કરનારા હોય છે, અને તે આજ્ઞા સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ વૈદ્યના દૃષ્ટાંત દ્વારા એકાંતે હિતાવહ છે. આશય એ છે કે જેમ સુવૈદ્યના વચનથી ઔષધનું સેવન કરવામાં આવે, તો તે ઔષધ રોગી માટે એકાંતે હિતાવહ થાય છે, તેમ ભગવાનના વચનથી જ આજ્ઞાનું પાલન કરવામાં આવે તો તે આજ્ઞા સાધુ માટે એકાંતે હિતાવહ થાય છે; કેમ કે જેમ સુવૈદ્યના વચનથી સેવાયેલું ઔષધ રોગોને ક્ષીણ કરીને દેહના આરોગ્યની વૃદ્ધિ કરે છે, તેમ ભગવાનના વચનથી પળાયેલી ઉચિત પ્રવૃત્તિરૂપ આજ્ઞા રાગાદિને ક્ષીણ કરીને આત્માના આરોગ્યની વૃદ્ધિ કરે છે. વળી, અઢાર હજાર શીલાંગોનું પાલન પણ ભાવઆરોગ્યની વૃદ્ધિ અર્થે છે; તેથી જે સાધુ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને અપવાદથી આરંભની પ્રવૃત્તિ કરે છે તે સાધુ ભાવથી સર્વ શીલાંગોનું પાલન કરે છે; કેમ કે આજ્ઞાને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરનારા સાધુ તે અપવાદિક પ્રવૃત્તિથી પણ સંયમના કંડકોની વૃદ્ધિ થવાને કારણે ભાવઆરોગ્યની વૃદ્ધિ કરે છે. આટલા કથનથી એ સિદ્ધ થયું કે આજ્ઞાપરતંત્ર સાધુને આરંભની પ્રવૃત્તિથી લેશ પણ કર્મબંધ તો થતો નથી, ઊલટી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે, જેથી એકાંતે નિર્જરા થાય છે. તેથી તે અપવાદિક પ્રવૃત્તિ પણ પૂર્ણ શલાંગોના પાલનસ્વરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને અપવાદથી આરંભવાળી પ્રવૃત્તિ કરનાર સાધુનું તે આજ્ઞા હિત કરનારી છે, પરંતુ આરંભવાળી પ્રવૃત્તિથી જે જીવોની હિંસા થઈ તે જીવોનું તો તે આજ્ઞા અહિત કરનારી છે ને ? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે – જે પ્રકારે ભગવાને કહ્યું છે તે પ્રકારે આચરણ કરાતું એવું ભગવાનનું વચન સર્વ જીવોનું હિત કરનાર છે, અર્થાત્ માત્ર તે સાધુનું જ હિત કરનાર નથી, પરંતુ જગતના તમામ જીવોનું હિત કરનાર છે; કેમ કે યથાવત્ આચરાતા ભગવાનના વચનથી કેટલાક જીવોને દષ્ટ ઉપકાર થાય છે અને કેટલાક જીવોને અદષ્ટ ઉપકાર થાય છે. તે આ રીતે – આજ્ઞાપરતંત્ર સાધુને વિધિપૂર્વક અપવાદિક આરંભની પ્રવૃત્તિ કરતી વખતે હૈયામાં વીતરાગ પ્રત્યે બહુમાનભાવ વર્તતો હોય છે, તેથી તે સાધુ તે અપવાદિક પ્રવૃત્તિ વીતરાગના વચનનું દઢ અવલંબન લઈને વિધિશુદ્ધ કરે છે; અને તે પ્રવૃત્તિ કરતી વખતે પણ તે સાધુમાં અસંગભાવને અનુકૂળ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય છે, જે પૂર્વ કરતાં વિશુદ્ધ એવા અસંગભાવને અનુકૂળ ઉત્તમ ભાવોથી તે સાધુના ચારિત્રનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. આથી તે સાધુનું દષ્ટ એવું એકાંતરિત થાય છે. વળી, આજ્ઞાપરતંત્ર એવા તે સાધુએ જે શૈક્ષ-ગ્લાનાદિ અર્થે વિવેકપૂર્વકની અપવાદિક પ્રવૃત્તિ કરી છે તે શૈક્ષ-ગ્લાનાદિના દેહનો તે પ્રવૃત્તિથી ઉપખંભ થવાથી તે શૈક્ષ-ગ્લાનાદિ સંયમની વૃદ્ધિ માટે દઢ યત્ન કરી શકે છે. આથી તે શૈક્ષાદિનું પણ દષ્ટ એવું એકાંતરિત થાય છે. વળી, આજ્ઞાપરતંત્ર એવા તે સાધુની આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જોઈને જે કોઈ જીવોને અનુમોદનનો ભાવ થાય છે, તે જીવોને ઉચિત પ્રવૃત્તિ પ્રત્યેનો પક્ષપાત થાય છે, જેથી તેઓનો સર્વજ્ઞના વચન પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી તે અનુમોદન કરનારા જીવોનું પણ દષ્ટ એવું એકાંતરિત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy