SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૦ ગાથા : आणापरतंतो सो सा पुण सव्वण्णुवयणओ चेव । एगंतहिआ विज्जगणाएणं सव्वजीवाणं ॥११७७॥ અન્વયાર્થ: તો મUTUપરાંતો આ આજ્ઞાને પરતંત્ર છે-શૈક્ષાદિ અર્થે કોઈક સાવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તનારા સાધુ જિનની આજ્ઞાને પરતંત્ર છે. ત્રિભુવયાગો વેવ સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ આ પુNT=વળી તે=આજ્ઞા, સવ્યનીવાઈન્સર્વ જીવોને વિશ્વITIui-વૈદ્યના જ્ઞાત વડે અહિ એકાંતથી હિત છે. ગાથાર્થ: રીક્ષાદિ અર્થે કોઈક સાવધ પ્રવૃત્તિ કરનારા સાધુ જિનની આજ્ઞાને પરતંત્ર છે. સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ વળી આજ્ઞા સર્વ જીવોને વૈધના દૃષ્ટાંત વડે એકાંતે હિત છે. ટીકાઃ आज्ञापरतन्त्रोऽसौ-प्रवर्तकः, सा पुनः सर्वज्ञवचनत एव आज्ञा एकान्तहिता वर्त्तते वैद्यकज्ञातेन, हितम् एतदपि यथावत्सर्वजीवानां, दृष्टादृष्टोपकारादिति गाथार्थः ॥११७७॥ * “ જિમાં “પિ'થી એ જણાવવું છે કે વૈધનું વચન તો રોગીનું હિત કરનાર છે, પરંતુ આ પણ= યથાવત્ પાલન કરાતું સર્વજ્ઞનું વચન પણ, સર્વ જીવોનું હિત કરનાર છે. ટીકાર્ય : આ=પ્રવર્તક શૈક્ષાદિ અર્થે કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તનારા સાધુ, આજ્ઞાને પરતંત્ર છે. વળી સર્વજ્ઞનું વચન હોવાના કારણે જ તે=આજ્ઞા, વૈદ્યકના જ્ઞાત વડે=વૈદ્યના દાંત વડે, એકાંતથી હિતા વર્તે છે. યથાવતું એવું આ પણ=ભગવાન વડે જે પ્રકારે કહેવાયું છે તે પ્રકારે જ આચરાતું એવું સર્વાનું વચન પણ, સર્વ જીવોનું હિત છે. સર્વજ્ઞના વચનથી આચરાતી અપવાદિક આચરણાઓમાં સાક્ષાત્ જીવોનો વધ થતો દેખાય છે, તો યથાવત્ સેવાતું સર્વજ્ઞનું વચન સર્વ જીવોનું હિત કઈ રીતે કહી શકાય ? તેમાં હેતુને કહે છે – દષ્ટ-અદૃષ્ટ ઉપકાર છે યથાવત્ આચરાતા સર્વજ્ઞવચનથી કેટલાક જીવોને દષ્ટ ઉપકાર થાય છે અને કેટલાક જીવોને અદૃષ્ટ ઉપકાર થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં દષ્ટાંત દ્વારા બતાવ્યું કે ભગવાનની આજ્ઞાથી શૈક્ષાદિની સંયમવૃદ્ધિ અર્થે કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તતા એવા મધ્યસ્થ સાધુ, પરમાર્થથી આરંભવાળી વસ્તુમાં અપ્રવૃત્ત જ છે; આથી તે સાધુ અઢાર હજાર શીલાંગોનું પરિશુદ્ધ પાલન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જે પ્રવૃત્તિમાં સ્પષ્ટ રીતે પૃથ્વીકાયાદિનો આરંભ દેખાતો હોય તે પ્રવૃત્તિ કરનાર સાધુ સર્વ શીલાંગોનું પરિશુદ્ધ પાલન કરે છે એમ કઈ રીતે કહી શકાય? તેના સમાધાન અર્થે ગ્રંથકાર કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy