SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૫-૧૧૦૬, ૧૧૦૦ ૮૫ ભાવાર્થ : - પૂર્વગાથામાં કહ્યું કે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ અવિરતિના પરિણામ વગર પણ સંભવે છે. આથી અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસારે ઉચિત પ્રવૃત્તિ કરનારા સાધુની પ્રવૃત્તિ ક્યારેક બાહ્ય રીતે આરંભવાળી હોવા છતાં અંતરંગ વિરતિના ભાવને આશ્રયીને તેમનામાં સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ શીલ વિદ્યમાન છે. એ વાતને દષ્ટાંત દ્વારા બતાવે છે – જેમ કાયોત્સર્ગમુદ્રામાં રહેલા કોઈ મહાત્મા પ્રત્યે દ્વેષ થવાને કારણે કોઈ પુરુષ તેમને નદી વગેરેના પાણીમાં ફેકે, ત્યારે તે મહાત્માના શરીરના પુદ્ગલોથી અષ્કાયના જીવોનો વધ થાય છે, છતાં તે મહાત્મા તે પુરુષ પ્રત્યે દ્વેષ કરતા નથી કે પોતાના શરીર પ્રત્યે મમત્વવાળા નથી, પરંતુ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ હોવાને કારણે પોતાના શુદ્ધ ભાવો તરફ જવા માટે અવિચલિત પરિણતિવાળા છે; આથી તે મહાત્માની કાયાથી અષ્કાયના જીવોની વિરાધના થવા છતાં તે મહાત્મા તે હિંસામાં ભાવથી અપ્રવૃત્ત જ છે. તેમ ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનારા કોઈ સાધુ શૈક્ષ-ગ્લાનાદિની સંયમવૃદ્ધિ અર્થે બાહ્ય રીતે દોષિત ભિક્ષા આદિ ગ્રહણ કરતા હોય અથવા અન્ય કોઈ આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય, તે વખતે તે મહાત્મા મમત્વથી કે માનાદિની આશંસાથી પ્રવૃત્તિ નહીં કરતા હોવાને કારણે અંતરંગ રીતે સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થવૃત્તિવાળા છે, આથી બાહ્ય રીતે થતી હિંસામાં તે સાધુ ભાવથી અપ્રવૃત્ત જ છે. દૃષ્ટાંતમાં બતાવેલ મહાત્મા બાહ્ય રીતે કોઈ હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી, ફક્ત કોઈક વડે તેઓ પાણીમાં ફેંકાવાને કારણે તેમની કાયાથી અષ્કાયના જીવોની હિંસા થાય છે; જ્યારે દાષ્ટન્તિકમાં બતાવેલ મહાત્મા બાહ્ય રીતે હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, છતાં તેઓ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને શૈક્ષાદિ અર્થે સદાલંબનથી તે પ્રવૃત્તિ કરતા હોવાથી તે સાધુ હિંસામાં અપ્રવૃત્ત જ છે; કેમ કે ભગવાનની આજ્ઞા રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યત્ન કરવાની છે અને તે સાધુ તે જ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. આથી તે મહાત્માની પ્રવૃત્તિથી હિંસા હોવા છતાં તે મહાત્મા ભાવથી હિંસામાં અપ્રવૃત્ત જ છે એમ કહેલ છે. ૧૧૭૫/૧૧૭૬ll અવતરણિકા : દૃષ્ટાંતના બળથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભગવાનની આજ્ઞાથી પ્રવર્તતા સાધુ ક્યારેક બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ તત્ત્વથી તે સાધુ આરંભમાં અપ્રવૃત્ત જ છે. ત્યાં પ્રશ્ન થાય કે દષ્ટાંતમાં બતાવેલ મુનિ કાયાને સ્થિર કરીને સમભાવમાં ઉદ્યમવાળા છે, પરંતુ બાહ્ય રીતે હિંસાને અનુકૂળ કોઈ પ્રવૃત્તિ કરતા નથી, ફક્ત કોઈના પ્રયત્નથી તેમનું શરીર પાણીમાં ફેંકાઈ ગયું છે, આથી તે મુનિના શરીરથી થતા અષ્કાયના જીવોના વધમાં તે મુનિ અપ્રવૃત્ત જ છે એમ કહી શકાય, જ્યારે દાન્તિકમાં બતાવેલા મુનિ તો સ્પષ્ટ રીતે હિંસાની પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને સ્પષ્ટ બોધ છે કે “મારી આ પ્રવૃત્તિથી જીવોની હિંસા થાય છે, છતાં તે મુનિ તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, આથી તે પ્રવૃત્તિથી થતા જીવોના વધમાં તે મુનિ અપ્રવૃત્ત જ છે એમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય; કેમ કે સાક્ષાત્ હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ થતી હોવા છતાં માત્ર દષ્ટાંતના બળથી હિંસાની અપ્રવૃત્તિ સિદ્ધ થઈ શકે નહિ. આથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર મુનિ હિંસામાં અપ્રવૃત્ત કેમ છે? તે યુક્તિથી બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy