SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૫-૧૧૦૬ ટીકાર્ય જે પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલા છતા તપસ્વી કોઈક વડે મોહથી ઉદકમાં=પાણીમાં, નખાયા. તેનું ક્ષારપણું હોવાને કારણે=મહાત્માની કાયાનું અષ્કાયના જીવો માટે વધને અનુકૂળ ક્ષારપણું હોવાને કારણે, ઉદકના વધમાં પ્રવૃત્ત એવી કાયવાળા પણ તે મહાત્મા અચલિત ભાવવાળા=ષકાયના પાલનને અનુકૂળ નહીં ચલેલા ભાવવાળા, અપ્રવૃત્ત જ છે=અખાયના જીવોના વધમાં અપ્રવૃત્ત જ છે; કેમ કે મધ્યસ્થપણું છે=તે મહાત્માને સર્વ ભાવો પ્રત્યે સમતારૂપ મધ્યસ્થભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: दार्टान्तिकयोजनामाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દષ્ટાંત બતાવ્યું. તેમાં દાષ્ટ્રન્તિકની યોજનાને કહે છે – ગાથા : एवं चिअ मज्झत्थो आणाओ कत्थई पयस॒तो । सेहगिलाणादट्टा अपवत्तो चेव नायव्वो ॥११७६॥ અન્વયાર્થ : પૂર્વ વિડ=આ પ્રમાણે જ પૂર્વગાથામાં દષ્ટાંત બતાવ્યું એ પ્રમાણે જ, તેમના વિઠ્ઠ શૈક્ષ-ગ્લાનાદિ અર્થે મUTTો સ્થપયત આજ્ઞાથી ક્યાંકઃકોઈક આરંભવાળી પ્રવૃત્તિમાં, પ્રવર્તતા એવા મલ્યો મધ્યસ્થ આપવો ચેવ અપ્રવૃત્ત જ નાવ્યો-જાણવા. ગાથાર્થ : પૂર્વગાથામાં દૃષ્ટાંત બતાવ્યું એ પ્રમાણે જે રોક્ષ-ગ્લાનાદિ માટે ભગવાનની આજ્ઞાથી કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તતા એવા મધ્યસ્થ અપ્રવૃત્ત જ જાણવા. ટીકાઃ __ एवमेव मध्यस्थः सन् आज्ञातः क्वचित् प्रवर्त्तमानः वस्तुनि शिक्षकग्लानाद्यर्थमालम्बनादप्रवृत्त एव ज्ञातव्यः तत्त्वत इति गाथार्थः ॥११७६॥ ટીકાર્ય : આ પ્રમાણે જ=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે જ, આજ્ઞાથી કોઈક વસ્તુમાં શૈક્ષ-ગ્લાનાદિ અર્થે આલંબનથી પ્રવર્તતા=શૈક્ષાદિની સંયમવૃદ્ધિ નિમિત્તે કોઈક વસ્તુના ગ્રહણમાં બાહ્ય રીતે આરંભથી પ્રવર્તતા સાધુ, મધ્યસ્થ છતા તત્ત્વથી=ભાવથી, અપ્રવૃત્ત જ જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy