SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૩-૧૧૭૪ ભાવાર્થ: ગાથા ૧૧૭૧માં કહ્યું કે એક પણ શીલાંગ અન્ય શીલાંગોના સર્ભાવમાં જ સુપરિશુદ્ધ છે, અને તે વાતને સમજાવવા માટે પૂર્વગાથામાં દષ્ટાંત આપ્યું કે જેમ એક આત્મપ્રદેશ પણ અસંખ્ય આત્મપ્રદેશોથી સંગત હોય છે, તેમ એક શીલાંગ પણ અઢાર હજાર શીલાંગોથી સંગત જ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે આત્મા અખંડ દ્રવ્ય છે, માટે અસંખ્ય આત્મપ્રદેશોમાંથી એક આત્મપ્રદેશ છૂટો પડતો નથી, પરંતુ આ દષ્ટાંત દ્વારા અઢાર હજાર શીલાંગોમાંથી એક શીલાંગ છૂટું પડતું નથી એમ કઈ રીતે નક્કી થાય? વસ્તુતઃ આત્મપ્રદેશના દષ્ટાંતના બળથી જો શીલાંગ અખંડ છે, એમ નક્કી કરી શકાતું હોય, તો સ્કંધના દષ્ટાંતના બળથી શીલાંગ અખંડ નથી, એમ પણ નક્કી કરી શકાય. તેથી શીલાંગ અખંડ કેમ છે? તે બતાવવા માટે યુક્તિ આપે જે કારણથી આ અઢાર હજાર શીલાંગો સર્વવિરતિ સામાયિકના છે, દેશવિરતિ સામાયિકના નથી; અને સર્વવિરતિ સામાયિક સર્વ સાવદ્ય યોગોની વિરતિસ્વરૂપ છે, તેથી અઢારેય હજાર શીલાંગોનું સંપૂર્ણ પાપની નિવૃત્તિરૂપ અખંડ એકસ્વરૂપ છે. આથી અઢાર હજાર શીલાંગોમાંથી એક પણ શીલાંગનો નાશ થાય તો સર્વ સાવદ્ય યોગોની વિરતિ રહે નહીં, માટે અઢારેય હજાર શીલાંગોનો નાશ થાય. આથી પ્રસ્તુત ગાથામાં કહેલ છે કે શીલાંગ અખંડરૂપ છે, ખંડરૂપપણાને પામતું નથી. માટે જેમ પૃથર્ આત્મપ્રદેશ પ્રાપ્ત થતો નથી તેમ પૃથ> શીલાંગ પણ પ્રાપ્ત થાય નહીં. તેથી એક પણ યોગ સાવદ્ય વર્તતો હોય તો સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ સમગ્ર શીલાંગ નાશ પામે છે. અહીં વિશેષ એ છે કે જેમ આત્મદ્રવ્ય અખંડ એક છે અને તેના આત્મપ્રદેશો અસંખ્ય છે, જે પ્રદેશો આત્મદ્રવ્યથી પૃથફ થતા નથી; તેમ શીલ પણ અખંડ એક છે અને તેનાં અંગો અઢાર હજાર છે, જે અંગો શીલથી પૃથક થતા નથી. આથી જ સર્વવિરતિમાં અખંડરૂપપણું હોવાથી એક, બે વગેરે મહાવ્રતોનું ગ્રહણ અને પાલન સંભવતું નથી; જ્યારે દેશવિરતિમાં અંશરૂપપણું હોવાથી એક, બે વગેરે વ્રતોનું ગ્રહણ અને પાલન સંભવે છે. આથી કોઈ ગૃહસ્થ આજીવન ચોથું વ્રત સુપરિશુદ્ધ પાળતો હોય તો પણ તેને મહાવ્રત કહેવાતું નથી. ૧૧૭૩ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ સમગ્ર શીલાંગ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું વર્તે છે. ત્યાં પ્રશ્ન થાય કે ૧૮૦૦૦ શીલાંગોમાં પૃથ્વીકાયાદિના આરંભની નિવૃત્તિ ગ્રહણ કરેલ છે, અને યતનાપૂર્વક સંયમનું પાલન કરનારા સાધુથી પણ ક્યારેક પૃથ્વીકાયાદિનો આરંભ થઈ શકે છે, અને નદી ઊતરવી વગેરે પ્રવૃત્તિમાં તો સ્પષ્ટ રીતે અપ્લાયાદિનો આરંભ થાય છે. આથી સર્વ શીલાંગોને અખંડ એક સ્વરૂપવાળા સ્વીકારીએ તો સુસાધુને પણ સર્વ શીલાંગોનો અભાવ પ્રાપ્ત થાય. તેના નિવારણ અર્થે કહે છે – ગાથા : एअं च एत्थ एवं विईभावं पडुच्च टुव्वं । ण उ बझं पि पवित्तिं जं सा भावं विणा वि भवे ॥११७४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy