SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુક‘સેમ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત' / ગાથા ૫૫-૫૬ સર્વ જીવોનું સંઘટ્ટન, પરિતાપન અને ઉદ્રાપણ કરવું, તે પ્રાણાતિપાતવિરમણરૂપ પ્રથમ વ્રતનો અતિચાર છે. ઉદ્રાપણ કરવું એટલે કોઈપણ જીવને મોટી પીડા કરવી. “રૂદ્રાપUરિ''માં “મારિ' પદથી અનાભોગ અને સહસાત્કારથી થતા કોઈપણ જીવના પ્રાણનાશનું ગ્રહણ કરવાનું છે. એનાથી એ પ્રાપ્ત થાય કે અનાભોગ કે સહસાત્કારથી કોઈ જીવનો પ્રાણનાશ થાય કે કોઈ જીવને પીડા થાય, તો તે સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મૂલગુણમાં અતિચારસ્વરૂપ છે, અને ઈરાદાપૂર્વક કે જીવરક્ષાની ઉપેક્ષાને કારણે કોઈ જીવનો ઘાત થાય, તો તે અતિચારરૂપ નથી પરંતુ અનાચારરૂપ છે. ll૬પપી અવતરણિકા : હવે દ્વિતીય મૃષાવાદવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : बिइअम्मि मुसावाए सो सुहमो बायरो उ नायव्वो । पयलाइ होइ पढमो कोहादभिभासणं बिइओ ॥६५६॥ અન્વયાર્થ: | મુસાવા=મૃષાવાદરૂપ=મૃષાવાદના વિરમણરૂપ, વિHિ =દ્વિતીયમાં બીજા વ્રતમાં, સો તે=અતિચાર, સુદુનો વાયરો ૩ સૂક્ષ્મ અને બાદર નાયબ્રો-જાણવો. પાડું પ્રચલાદિ વડે પઢો પ્રથમ=સૂક્ષ્મ અતિચાર, દોડું થાય છે (અને) મોરામિમાંસf=ક્રોધાદિથી અભિભાષણ (એ) વિમો દ્વિતીય છે=બાદર અતિચાર છે. ગાથાર્થ: મૃષાવાદવિરમણરૂપ બીજા મહાવ્રતમાં અતિચાર સૂક્ષ્મ અને બાદર જાણવો. પ્રચલાદિ વડે સૂક્ષ્મ અતિચાર થાય છે અને ક્રોધાદિથી બોલવું, એ બાદર અતિચાર છે. ટીકાઃ द्वितीये व्रते मृषावादे इति मृषावादविरतिरूपे सः=अतिचार: सूक्ष्मो बादरश्च ज्ञातव्यः, तत्र प्रचलादिभिर्भवति प्रथमः सूक्ष्मः, 'प्रचलायसे किं दिआ नं पयलामीत्यादि', क्रोधादिनाऽभिभाषणं द्वितीयः, परिणामभेदादिति गाथार्थः ॥६५६॥ * “પ્રવત્તામિ:'માં ‘વિ' પદથી અનાભોગથી કે સહસાત્કારથી સૂક્ષ્મ જૂઠું બોલાઈ જાય, તેનું ગ્રહણ છે. * “aોથના”માં “ગરિ' પદથી લોભ, ભય અને હાસ્યનું ગ્રહણ છે. ટીકાર્ય મૃષાવાદની વિરતિરૂપ બીજા વ્રતમાં તે=અતિચાર, સૂક્ષમ અને બાદર જાણવો. તેમાં=બે પ્રકારના અતિચારમાં, પ્રચલાદિ વડે પ્રથમ સૂક્ષ્મ, અતિચાર થાય છે. તે સૂક્ષ્મ અતિચારને સ્પષ્ટ કરે છે – શું તું દિવસે ઊંઘે છે, ઊંઘતો નથી' ઇત્યાદિ. અને ક્રોધાદિ દ્વારા અભિભાષણ દ્વિતીય છે=બાદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy