SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા પર ગાથાર્થ : પ્રાણાતિપાતવિરમણ મૂલગુણનું સ્વરૂપ બતાવ્યું એ રીતે જ ક્રોધાદિ પ્રકારો વડે મૃષાવાદનું વિરમણ, એ બીજો મૂલગુણ છે; એ રીતે જ ગામાદિમાં અલ્પ અને બહુ અદત્તાદાનનું વિરમણ, એ ત્રીજો મૂલગુણ છે. ટીકાઃ क्रोधादिभिः प्रकारैरिति, आदिशब्दाल्लोभादिपरिग्रहः, यथोक्तं- “से कोहा वा लोभा वा" इत्यादि, एवमेव सर्वस्य सर्वथा सुप्रणिधानं मृषाविरमणं द्वितीयो मूलगुणः, सूत्रक्रमप्रामाण्यादेव, एवमेव यथोक्तं ग्रामादिष्विति, आदिशब्दानगरादिपरिग्रहः, तथा चोक्तं- “से गामे वा नगरे वा" इत्यादि, अल्पबहुविवजनं तृतीयो मूलगुणः, सूत्रोपन्यासक्रमादिति गाथार्थः ॥६५२॥ * “તમાર'માં “ગાવિ' પદથી હાસ્ય અને ભયનું ગ્રહણ છે. * “નકાર"માં મારિ’ પદથી અરણ્યનું ગ્રહણ છે. ટીકાર્ય : ક્રોધાદિ પ્રકારો વડે આ રીતે જ=જે રીતે સર્વ જીવોના કૃતાદિ સર્વ પ્રકારોથી સુપ્રણિધાનવાળું પ્રાણના અતિપાતનું વિરમણ એ પ્રથમ મૂલગુણ છે એ રીતે જ, સર્વથા-કૃત-કારિતાદિ સર્વ ભેદોથી, સર્વના=સર્વ પદાર્થોના, સુપ્રણિધાનવાળું મૃષાવાદનું વિરમણ, બીજો મૂલગુણ છે. અહીં પ્રશ્ન થાય કે મૃષાવાદવિરમણ બીજો મૂલગુણ કયા કારણથી છે? તેથી કહે છે – સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી જ મૃષાવાદવિરમણ બીજો મૂલગુણ છે. જે રીતે કહેવાયું=જે રીતે મૃષાવાદનું વિરમણ એ બીજો મૂલગુણ છે એમ ગાથાના પૂર્વાર્ધમાં કહેવાયું, એ રીતે જ ગામાદિમાં અલ્પ અને બહુનું વિવર્જન, સૂત્રના ઉપન્યાસના ક્રમથી ત્રીજો મૂલગુણ છે. રાથમિક”માં મારિ શબ્દથી લોભાદિનો પરિગ્રહ છે, એમાં યથો થી સાક્ષી આપે છે – જે લોહા વા નોમ વા ઈત્યાદિ સૂત્ર છે. “પ્રામાવિષ''માં માત્ર શબ્દથી નગરાદિનો પરિગ્રહ છે, તેમાં તથા ચોથી સાક્ષી આપે છે – ન વા ઇત્યાદિ સૂત્ર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, એ ચાર પ્રકારે મૃષાવાદનો સંભવ છે અને સાધુને મૃષાવાદનું સર્વ પ્રકારે વિરમણ કરવાનું છે. આથી ક્રોધાદિ કોઈપણ કષાયને વશ થઈને મૃષાવાદમાં મન-વચન-કાયાના યોગોથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા પ્રવૃત્તિ ન થઈ જાય, તે માટે સાધુ સુપ્રણિધાનપૂર્વક સતત યત્ન કરતા હોય છે. વળી, ત્રીજું મહાવ્રત સર્વ ગામ, નગર વગેરેના અલ્પ કે ઘણી વસ્તુના અદત્તાદાનના વિરમણરૂપ છે અર્થાત્ કોઈએ નહીં આપેલી સર્વ વસ્તુનું સર્વ પ્રકારે, સુપ્રણિધાનપૂર્વક લેવાની નિવૃત્તિ કરવાની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy