SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વ્રતસ્થાપનાવસ્તુક/ ગ્યો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૦ ગાથા : संजलणाणं उदओ अप्पडिसिद्धो उ तस्स भावे वि । सो अ अइआरहेऊ एएसु असुद्धगं तं तु ॥६२७॥ અન્વયાર્થ : તરસ તેના સામાયિકના, માવે વિભાવમાં પણ સંગર્ભ[vi સંજવલન કષાયોનો ૩ો ઉદય મMસિદ્ધ ૩ અપ્રતિષિદ્ધ જ છે, તો અને તે સંજવલન કષાયોનો ઉદય, મફત્રા અતિચારોનો હેતુ છે. હું તુ વળી આ થયે છd=અતિચારો થયે છતે, તંતે સામાયિક, મસુદ્ધાં અશુદ્ધ થાય છે. ગાથાર્થ : સામાયિકના સદ્ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે=અનિષિદ્ધ જ છે અર્થાત્ જીવમાં કષાયોનો ઉદય થવાની સંભાવના છે જ, અને સંજ્વલન કષાયોનો ઉદય અતિચારોનું કારણ છે. વળી અતિચારો થયે છતે સામાયિક અશુદ્ધ થાય છે. ટીકા : सज्वलनानां कषायाणामुदयः अप्रतिषिद्ध एव तस्य-सामायिकस्य भावेऽपि, स च-सज्वलनोदयः अतिचारहेतुर्वर्त्तते, एतेषु-अतिचारेषु सत्सु अशुद्धं तत्-सामायिकं भवतीति गाथार्थः ॥६२७॥ * “માવેદિ'માં “મા'થી એ બતાવવું છે કે સંજ્વલન કષાયોનો ઉદય સામાયિકના અભાવમાં તો થાય છે, પરંતુ સામાયિક્તા ભાવમાં પણ થાય છે. ટીકાર્ચ: તેના=સામાયિકના, ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે, અને તે=સંજ્વલનનો ઉદય, અતિચારનો હેતુ વર્તે છે. આ=અતિચારો, થયે છતે તે=સામાયિક, અશુદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જીવમાં સામાયિકનો પરિણામ પ્રગટ્યો હોય તોપણ શાસ્ત્રમાં સંજવલન કષાયોનો ઉદય સ્વીકારાયેલ છે, અને સંજવલન કષાયોના ઉદયથી સામાયિકમાં જે અતિચારો થાય છે, તે અતિચારોરૂપ જ જીવની અપ્રજ્ઞાપનીયતા છે. તેથી ગુરુ સમજાવે તોપણ પુત્રને વ્રતસ્થાપનાની રજા પિતા આપે નહિ, એ પ્રકારની અપ્રજ્ઞાપનીયતા પિતાને સંજવલન કષાયોના ઉદયથી થઈ શકે છે, અને આ અપ્રજ્ઞાપનીયતાથી પ્રાપ્ત થયેલ અતિચારો સાધુના સામાયિકને મલિન કરનાર બને છે. આથી પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે વ્યવહારનયથી અશુદ્ધ સામાયિક હોતે છતે જીવ અપ્રજ્ઞાપનીય હોય છે. વિશેષાર્થ : સંજવલન કષાયોથી અતિચારો થાય છે, અને નિરતિચાર ચારિત્રવાળા મુનિને પણ સંજવલન કષાયોનો ઉદય હોય છે; પરંતુ તે બેમાં એ ભેદ છે કે ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ સંજવલન કષાય સંયમવૃદ્ધિનું કારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy