SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વ્રતસ્થાપનાવસ્તુક | શેખ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “પઠિત' | ગાથા ૨૦-૬૨૮ છે. આથી ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ સંજવલન કષાયોનો ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, અને જેમને સંજવલન કષાયોનો ક્ષયોપશમભાવ થયો નથી, તેઓને સંજવલન કષાયના ઉદયથી અતિચારો થાય છે. આમ, સામાયિકમાં યત્ન કરતા પણ મુનિને પ્રમાદનો આપાદક એવો અપ્રશસ્ત સંજવલન કષાયનો ઉદય થાય ત્યારે અતિચારો લાગે છે; પરંતુ મુનિ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય ત્યારે તેમનો સંજવલન કષાયોનો ઉદય પ્રશસ્ત ભાવવાળો હોવાથી ઉત્તરોત્તર સંયમવૃદ્ધિનું કારણ બને છે. અહીં “પ્રજ્ઞાપના:” શબ્દથી મિથ્યાત્વમોહનીયના ઉદયકૃત અપ્રજ્ઞાપનીયતા ગ્રહણ કરવાની નથી, દા.ત. જમાલિ મિથ્યાત્વના ઉદયથી શાસ્ત્રીય પદાર્થમાં વિપર્યાસ પામીને અપ્રજ્ઞાપનીય બન્યા, તેનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ સંજવલન કષાયોના ઉદયકૃત અપ્રજ્ઞાપનીયતા ગ્રહણ કરવાની છે. દા.ત. પિતા સંજવલન કષાયના ઉદયથી પુત્રને વ્રતસ્થાપનાની અનુજ્ઞા આપતા નથી, તેનું ગ્રહણ કરવાનું છે, જે અપ્રજ્ઞાપનીયતા સામાયિકમાં અતિચારોનું કારણ બને છે. I૬૨ અવતરણિકા: उपपत्त्यन्तरमाह - અવતરણિકાર્ય : ઉપપત્તિઅંતરને કહે છે, અર્થાત્ ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ કરેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૬૨૬-૬૨૭માં જે ઉપપત્તિ બતાવી તેના કરતાં અન્ય ઉપપત્તિને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક અશુદ્ધ હોતે છતે સંજ્વલન કષાયોના ઉદયથી જીવ અપ્રજ્ઞાપનીય થઈ શકે, તેથી અપ્રજ્ઞાપનીય જીવની ઉપસ્થાપના કરવામાં કોઈ બાધ નથી; હવે જીવ અપ્રજ્ઞાપનીય હોવાને કારણે સામાયિકથી પાત પામેલ હોય તો પણ તેની ઉપસ્થાપના કરવામાં બાધ કેમ નથી? તે સ્પષ્ટ કરવા બીજી સંગતિ બતાવે છે – ગાથા : पडिवाई वि अ एअं भणि संते वि दव्वलिंगम्मि । पुण भावी वि अ असई कत्थइ जम्हा इमं सुत्तं ॥६२८॥ અન્વયાર્થ : ગં ગં અને આ=સામાયિક, પડિવા વિ=પ્રતિપાતી પણ શંકહેવાયું છે, વ્યંત્નિ મ મ સંતે વિ અને દ્રવ્યલિંગ હોતે છતે જ વડું-ક્યાંક કોઈક જીવમાં, ડું વારંવાર પુOT ફરી ભાવી વિકથનારું પણ છે; નહા=જે કારણથી રૂમ આ=આગળમાં કહેવાશે એ, સુત્ત સૂત્ર છે. * “સંતે વિ'માં “પિ' વિકાર અર્થક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy