SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વ્રતસ્થાપનાવસ્તુક/ ગ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૨-૬૨૩ સંહિકા વિહૂતો પન્નવUTTEદંડિકાદિ દષ્ટાંતથી પ્રજ્ઞાપના. મારિ ? હવે સ્થવિર ઇચ્છે નહીં–પિતા પુત્રને ઉપસ્થાપવા ઈચ્છે નહિ, ત્યારે દંડિકના દૃષ્ટાંત વડે પ્રજ્ઞાપના કરાય છે–પિતાને સમજાવાય છે. “મઃ' શબ્દથી=ગાથા ૬૨૨ના અંતે રહેલ “ત્રિા”માં “મારિ' શબ્દથી, અમાત્ય આદિ ગ્રહણ કરાય છે. હવે તે દષ્ટાંત જ બતાવે છે – જે રીતે રાજ્યથી પરિભ્રષ્ટ એક રાજાએ પુત્ર સહિત અન્ય રાજાની સેવા કરવા માટે આરંભ કર્યો, તે રાજા રાજ્યભ્રષ્ટ રાજાના પુત્ર ઉપર તુષ્ટ થયો, તે રાજા તે પુત્રને=રાજ્યભ્રષ્ટ રાજાના પુત્રને, રાજ્ય ઉપર સ્થાપવા માટે ઇચ્છે છે, તો શું તે પિતા અનુજ્ઞા ન આપે=તે રાજ્યભ્રષ્ટ રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપવાની અનુજ્ઞા ન આપે? એ રીતે જો તારો પુત્ર મહાવ્રતરૂપી રાજ્યને પામે છે, તો કેમ તું નથી માનતો? ૩વછે વ પંવાદૃ વંતિ તિપUામળિઑડવુવરં પિતાની ઉપસ્થાપનાની અનિચ્છામાં પાંચ દિવસ સ્થાપે, ત્રણ વખત પાંચ દિવસ ઉપર પિતાની અનિચ્છામાં પણ વ્રતોમાં સ્થાપે. પૂર્વ પિ... રઘુ ૩વવિજ્ઞ આ રીતે પણ પ્રજ્ઞાપિત જો ઇચ્છે નહીં ઉપરમાં બતાવ્યું એ રીતે પણ દષ્ટાંતથી સમજાવાયેલો પિતા જો પુત્રની વ્રતસ્થાપના કરવા માટે ઇચ્છે નહિ, ત્યારે પાંચ દિવસ સ્થાપે પુત્રને પાંચ દિવસ વ્રતસ્થાપના કર્યા વગરનો રાખે, તે પિતા પાંચ દિવસમાં તૈયાર થઈ જાય તો સાથે ઉપસ્થાપના કરે, અને પાંચ દિવસમાં તૈયાર ન થાય, તો ફરી પણ પિતાને સમજાવે; પિતાની અનિચ્છામાં ફરી પણ પાંચ દિવસ પુત્રને ઉપસ્થાપના કર્યા વગરનો રાખે. જો પાંચ દિવસમાં પિતા તૈયાર થઈ જાય તો સાથે ઉપસ્થાપના કરે, પરંતુ તૈયાર ન થાય, તો ફરી પણ પિતાને સમજાવે; પિતાની અનિચ્છામાં પાંચ દિવસ સ્થાપે પુત્રને ઉપસ્થાપના કર્યા વગરનો રાખે. આટલા કાલ વડે= પંદર દિવસમાં, જો પિતા પ્રાપ્ત થાય તો એક સાથે ઉપસ્થાપના કરાય છે; પરંતુ પિતા સૂત્રાદિ વડે પ્રાપ્ત ન થઈ શકે તો હવે પછી સ્થવિર અનિચ્છાવાળા પણ હોતે છતે ક્ષુલ્લક-પુત્ર, વ્રતોમાં ઉપસ્થપાય છે. વસ્થ ગાડીશંક૨વ. મદીયં કારણવિશેષને આશ્રયીને અન્ય વિકલ્પ બતાવવા માટે હવા થી કહે છે – વસ્તુનો સ્વભાવ એ વસ્તુસ્વભાવ. માની=અહંકારી પિતા, “હું પુત્રથી નાનો કરાઉં છું”, એથી દીક્ષા છોડી દે, અથવા ગુરુ ઉપર કે ક્ષુલ્લક ઉપર પ્રષને પામે=ષ કરે, ત્યારે ત્રણેય પણ પાંચ દિવસોની પછી પણ જ્યાં સુધી પિતા ભણી લે ત્યાં સુધી સ્થાપે=પુત્રને વડીદીક્ષા આપ્યા વગરનો રાખે. તિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: કાળની હાનિ હોવાને કારણે સંયમ ગ્રહણ કર્યા પછી પણ જીવોમાં કાષાયિક ભાવો વર્તતા હોય છે. તેને સામે રાખીને પૂ. ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ પિતા-પુત્ર વગેરેની વ્રતસ્થાપના વિષયક આ પ્રમાણે મર્યાદા મૂકી છે જો પિતા-પુત્ર સાથે પ્રવ્રજિત થાય અને ઉપસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત કરી લે તો ગુરુ બંનેની સાથે જ વ્રતસ્થાપના કરે. હવે જો પુત્ર કરતાં પિતા જલદી ભણી લે તો પિતાની ઉપસ્થાપના પ્રથમ કરે, અને પુત્ર જયારે ભણીને તૈયાર થાય ત્યારે ઉપસ્થાપના કરે; પરંતુ પુત્ર અધિક સામર્થ્યવાળો હોવાથી જલદી ભણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy