SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૮૯૯-૯૦૦ કરવો જોઈએ, તેમ સંયમવૃદ્ધિનું કોઈ કારણ હોય તો એક સ્થાને પણ દીર્ઘકાળ રહીને સંયમવૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ.” આથી ગીતાર્થ સાધુઓ ક્યારેક એક સ્થાનમાં રહીને પણ નવકલ્પી વિહારને અનુકૂળ ઉચિત યાતનાઓ સમ્યગુ કરતા હોય છે. માટે ગીતાર્થ સાધુઓને એક જ ક્ષેત્રમાં રહેવાનું પ્રયોજન જણાય તો એક નગરમાં જ મહિને-મહિને સ્થાનાંતર કરીને નવકલ્પી વિહારનો પરિણામ જીવંત રાખે, અને તેવા કોઈ સંયોગોમાં સ્થાનાંતર પણ થઈ શકે તેમ ન હોય તો, અને એક સ્થાનમાં રહેવું એ સંયમવૃદ્ધિનો હેતુ જણાતો હોય તો, પોતે જે સ્થાનમાં રહેલ હોય, તે સ્થાનમાં જ સંથારાનું પરાવર્તન કરીને પણ ભાવથી માસકલ્પનો અધ્યવસાય જીવંત રાખે; અને આવા સાધુઓ કેવલ કાયાથી જ એક ક્ષેત્રમાં રહ્યા હોય છે, એ જણાવવા માટે કહ્યું કે ગીતાર્થ સાધુઓનો નિયતવાસ અપરમાર્થ અવસ્થાન સ્વરૂપે દ્રવ્યથી હોય છે, અને ચિત્તમાં ભગવાનની આજ્ઞા અનુસાર નવકલ્પી વિહારનો જ અધ્યવસાય હોવાથી સાધુઓ નવકલ્પી વિહારને અનુરૂપ ઉચિત યતના કરતા હોય છે. માટે સાધુઓ ભાવથી તો માસકલ્પ કરે જ છે. આનાથી અર્થથી ફલિત થયું કે સાધુને માસાદિ કલ્પ માત્ર બાહ્ય આચરણારૂપે નથી પરંતુ મોહનો જય થાય તે રીતે ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિરૂપે છે. માવતતુમાં ‘તુ'નો અર્થ વકાર કરવા દ્વારા એ કહેવું છે કે સાધુને ભાવથી તો નિયમો માસિકલ્પ છે, દ્રવ્યથી માસકલ્પ હોય પણ અને ન પણ હોય. વળી, ગીતાર્થનું વિધિપર' એવું વિશેષણ મૂકવાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓ ગીતાર્થ હોવા છતાં વિધિમાં તત્પર નથી અને પ્રમાદને વશ થઈને માસાદિ વિહાર કરતા નથી, તેઓને અહીં ગ્રહણ કર્યા નથી. ll૮૯૯ાા અવતરણિકા : अत्रैव विधिमाह - અવતરણિતાર્થ : એમાં જ=પૂર્વગાથામાં કહ્યું કે સાધુને નિયતવાસ પણ અપરમાર્થ અવસ્થાનરૂપે દ્રવ્યથી હોય છે એમાં જકદ્રવ્યથી નિયતવાસમાં જ, વિધિને કહે છે – ગાથા : गोअरमाईआणं एत्थं परिअत्तणं तु मासाओ । जहसंभवं निओगो संथारम्मी विही भणिओ ॥९००॥ અન્વચાઈ: ત્યં તુવળી અહીં-વિહારના અધિકારમાં, માસી માસાદિમાં જગન્નાઈ ગોચરાદિનું પરિપત્ર પરિવર્તન નહામવં યથાસંભવ છે, સંથાર સંથારામાં સંથારાના પરાવર્તનમાં, નિમોજો નિયોગવાળો વિદી વિધિ કિહેવાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy