SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વતસ્થાપનાવસ્તક 'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: ‘ભાવના' | ગાથા ૮૦૫-૮૦૬ ૩૨૩ ભાવાર્થ : વર્તમાનકાળના જીવોમાં દઢ ધૃતિબળ નહીં હોવાથી ચારિત્રમાં ઘણા અતિચારો લાગે છે, તો પણ ગાથા ૮૬૭ થી ૮૭૪ માં બતાવ્યું એ રીતે અર્થપદની વિચારણા કરે તો સંયમી સાધુને સદા સંવેગ પેદા થાય છે, જેથી અતિચારવાનું તેઓનું પણ ચારિત્ર સમ્યગ પ્રતિકાર કરાયેલું હોવાને કારણે મોક્ષનું કારણ બને છે; પરંતુ જો અતિચારની ઉપેક્ષા કરવામાં આવે તો આ જ ચારિત્ર નરકનું કારણ બને છે. આ પ્રકારની વિચારણા કરવાથી અતિચારથી બચવાનો અને લાગેલ અતિચારની શુદ્ધિ કરવાનો પરિણામ તીવ્ર બને છે, જે પરિણામ સંવેગરૂપ છે અને તે સંવેગના પરિણામથી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી, અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો સંયમજીવનની સર્વ પ્રવૃત્તિઓ સંમૂચ્છિમ પ્રાણી તુલ્ય થાય છે, જેથી તે પ્રવૃત્તિઓ મોક્ષનું કારણ બનતી નથી, પરંતુ અનાદિની કુટેવને કારણે સંયમજીવનમાં થતા અતિચારો પ્રત્યે જીવને નિરપેક્ષભાવવાળો બનાવે છે, અને વ્રતના અતિચારો પ્રત્યે થયેલ નિરપેક્ષ ભાવ જીવને મહાપાપ બંધાવીને નરકમાં લઈ જાય છે. આથી કલ્યાણના અર્થી સાધુએ પૂર્વમાં બતાવ્યું એ રીતે હંમેશાં અર્થપદની વિચારણા કરીને સંવેગના પરિણામને જીવંત રાખવો જોઈએ. ૮૭પા અવતરણિકા: ___ उक्तं विचारद्वारं, भावनाद्वारमभिधातुमाह - અવતરણિતાર્થ ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા હતા, તેમાંથી આઠમા ઉપાયરૂપ વિચારધાર ગાથા ૮૬૬થી માંડીને ૮૭૫માં કહેવાયું. હવે વ્રતપાલનના નવમા ઉપાયરૂપ ભાવનાધારને કહેવા માટે ગાથા ૮૭૬થી ૮૯૫ સુધી કહે છે – ગાથા : एवं पि पवट्टमाणस्स कम्मदोसाउ होज्ज इत्थीसु । रागोऽहवा विणा तं विहिआणुट्ठाणओ चेव ॥८७६॥ અન્વયાર્થ : પર્વ પિ આ રીતે પણ વિટ્ટમર્સ પ્રવર્તતા એવાને મોસાડકર્મના દોષથી સ્થીતુ સ્ત્રીઓમાં રાનો રાગ હો =થાય ગરવી અથવા તે વિUTI-તેના વિના=સ્ત્રીવિષયક રાગ વિના, વિહિપુનો રેવનવિહિત અનુષ્ઠાન હોવાથી જ (સમ્ય ભાવન કરવું જોઈએ.) ગાથાર્થ : આ રીતે પણ પ્રવર્તતા એવા સાધુને, કર્મના દોષથી સ્ત્રીઓમાં રાગ થાય અથવા સ્ત્રીવિષયક રાગ વિના વિહિત અનુષ્ઠાન હોવાથી જઆગળમાં બતાવાશે એ પ્રકારની ભાવના કરવાનું શાસ્ત્રમાં વિહિતા હોવાથી જ, સખ્ય ભાવન કરવું જોઈએ, જે હવે પછીની ગાથામાં બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy