________________
૨૪૪
વ્રતસ્થાપનાવસ્તુક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૧૨-૮૧૩ સર્વ સાધુઓને, આશ્રયીને, સાધારણ અવગ્રહથી=સાધારણ અવગ્રહના નિમિત્તવાળું, તથા અલબ્ધિના કારણથી=અવિદ્યમાન લબ્ધિના નિમિત્તવાળું, પાત્રનું ગ્રહણ જ જિનો વડે કહેવાયું છે, અર્થાત્ આ સર્વ સાધુઓના સાધારણ લાભ માટે અને કરપાત્રલબ્ધિ નહીં હોવાને કારણે સાધુને પાત્ર ગ્રહણ કરવાનું જ જિનો વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૮૧રા
અવતરણિકા :
कल्पप्रमाणमाह -
અવતરણિકાર્ય :
કલ્પના=કપડાના, પ્રમાણને=માપને, કહે છે –
ગાથા :
कप्पा आयपमाणा अड्डाइज्जा उ आयया हत्था । दो चेव सुत्तिआ उनिओ अ तइओ मुणेयव्वो ॥८१३॥
અન્વયાર્થ :
પ્પા કાયમUT=કલ્પો આત્મપ્રમાણવાળા હોય છે=સ્થવિરકલ્પિકોને કપડાં પોતાના શરીરના પ્રમાણવાળાં હોય છે, સટ્ટાફન્ન ૩સ્થા=વળી (જિનકલ્પિકોને) અઢી હાથ માથી આયત=લાંબાં, હોય છે; તો વેવ (ત્તિ (કપડાંઓમાં) બે જ સૌત્રિક સૂતરનાં, તો અને ત્રીજો ક્નિોઑર્ણિક=ઊનનો, મુછોવ્યો જાણવો.
ગાથાર્થ :
સ્થવિરકલિકોને કપડાં પોતાના શરીરના પ્રમાણવાળાં હોય છે, વળી જિનકલ્પિકોને અઢી હાથ લાંબાં હોય છે, બે જ કપડાં સુતરાઉ અને ત્રીજો કપડો ઊનનો જાણવો. ટીકા :
कल्पा आत्मप्रमाणाः सातिरेका अनतिरेकमाना वा स्थविराणाम्, अर्द्धतृतीयांस्तु आयता-दीर्घा हस्तान् जिनकल्पिकानां, द्वावेव सौत्र ऊर्णामयश्च तृतीयः एतेषां मन्तव्य इति गाथार्थः ॥८१३॥ ટીકાર્થ :
સ્થવિરોને સાતિરેક અથવા અતિરેક માનવાળા આત્મપ્રમાણ કલ્પો હોય છે–પોતાના શરીરના પ્રમાણથી કંઈક અધિક માપવાળા અથવા પોતાના શરીરના પ્રમાણથી અનધિક માપવાળા કપડાઓ હોય છે; વળી જિનકલ્પિકોને અઢી હાથ આયત-દીર્ઘ, હોય છે. એમના=જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓના, બે જ કપડા સૌત્ર=સુતરાઉ, અને ત્રીજો ઊષ્ણમય=ઊનનો, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org