SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૩-૮૧૪ ૨૪૫ ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓને પોતાના શરીરની ઊંચાઈ પ્રમાણે કપડાઓ હોય છે, છતાં કોઈક સાધુ પોતાના શરીરની ઊંચાઈથી કંઈક અધિક પ્રમાણવાળા પણ કપડા રાખે; અને જિનકલ્પિક સાધુઓને અઢી હાથના પ્રમાણવાળા કપડા રાખવાના હોય છે. બંનેના ત્રણ કપડામાંથી બે કપડા સુતરાઉ હોય છે અને એક કપડો ઊનનો અર્થાત એક કામળી હોય છે. ૮૧all અવતરણિકા : एतत्प्रयोजनमाह - અવતરણિકાર્ય : આના ત્રણ કપડાના, પ્રયોજનને કહે છે – ગાથા : तणगहणानलसेवानिवारणा धम्मसुक्झाणट्ठा । दिटुं कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥८१४॥ અન્વયાર્થ : તUTદUIનનસેવાનિવારV[ તૃણનું ગ્રહણ, અનલની સેવાના નિવારણ માટે, થHસુદાકૂ =ધર્મશુક્લ ધ્યાનના અર્થે, જિલ્લા મરક્યા જેવ-અને ગ્લાન-મરણના અર્થે પૂહિvi-કલ્પનું ગ્રહણ વિઠ્ઠું (જિનો વડે) જોવાયું છે. ગાથાર્થ : તૃણગ્રહણના અને અનલની સેવાના નિવારણ માટે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન માટે, અને ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે કલ્પનું ગ્રહણ ભગવાન વડે જોવાયું છે. ટીકા : तृणग्रहणानलसेवानिवारणार्थं तथाविधसंहननिनां, तथा धर्मशुक्लध्यानार्थं समाध्यापादनेन, दृष्टं कल्पग्रहणं जिनैः, ग्लानमरणार्थं चैव ग्लानमृतप्रच्छादनार्थमिति गाथार्थः ॥८१४॥ ટીકાર્ય : તેવા પ્રકારના સંહનાવાળાઓને તૃણના ગ્રહણના અને અનલની સેવાના નિવારણ અર્થે, તથા સમાધિના આપાદન દ્વારા=સમાધિ પ્રાપ્ત કરાવવા દ્વારા, ધર્મ અને શુક્લધ્યાનના અર્થે, અને ગ્લાન-મરણના અર્થે= ગ્લાનના અને મૃતના પ્રચ્છાદનના અર્થે=ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે, જિનો વડે કલ્પનું ગ્રહણ જોવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy