SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવતુકાપ્યો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “અભિગત-પરીક્ષા' | ગાથા ૬૬૪-૬૫, ૨૬૬ ૮૧ ટીકાઈઃ વાતવિષયક પરીક્ષા માટે વજણાનું અભિધારણ કરે, હરિતવિષયક પરીક્ષા માટે જે પ્રમાણે પૃથિવીવિષયક પરીક્ષા માટે કરે છે, તે પ્રમાણે અસ્પંડિલમાં ઉચ્ચારાદિને જ વોસિરાવે છે, અને બેઇન્દ્રિયાદિ ત્રસવિષયક પરીક્ષા માટે જે રીતે પૃથિવીવિષયક પરીક્ષા માટે કરે છે તે રીતે જ કરે છે. આ રીતે જ શેક્ષ ગોચરી માટે ગયે છતે રજથી સંસ્કૃષ્ટના ગ્રહણાદિ દ્વારા કાયોથી=પૃથ્વી આદિ છ કાયોથી, સંભવ પ્રમાણે પરીક્ષા થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શૈક્ષને અર્થનો બોધ સમ્યગૂ થયો છે કે નૈહિ તેની ગીતાર્થ સાધુ પરીક્ષા કરે, તેમાં પૃથ્વીકાયવિષયક બે રીતે પરીક્ષા કરે સ્વયં અશુદ્ધ ભૂમિમાં મળ-મૂત્રાદિ પરઠવે અથવા તો સચિત્ત પૃથ્વી ઉપર આસન પાથરીને બેસવા વગેરેની ક્રિયાઓ કરે. અપકાયવિષયક પરીક્ષા કરવા માટે અર્ધ સુકાયેલી નદી વગેરેની રેતાળ જમીનમાં કંઈક પાણી હોય તેની નજીકમાં મળ વગેરે પરઠવે. તેઉકાયવિષયક પરીક્ષા કરવા માટે અગ્નિસહિત નખાયેલા તેજવાળી શુદ્ધ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે અર્થાત્ કોઈ ભૂમિમાં અગ્નિ બળતો હોય અને તે અગ્નિનું તેજ તે ભૂમિની બાજુની ભૂમિ પર પડતું હોય તો તે અન્ય ભૂમિ અગ્નિકાયના જીવોથી સંસક્ત હોય છે, તોપણ તે ભૂમિમાં શૈક્ષની તેઉકાયના વિષયમાં પરીક્ષા માટે ગીતાર્થ સાધુ મળ વગેરે વોસિરાવે. વળી, વાઉકાયવિષયક શૈક્ષની પરીક્ષા કરવા માટે ગીતાર્થ સાધુ વીંજણાથી હવા ખાય, વનસ્પતિવિષયક પરીક્ષા કરવા અર્થે વનસ્પતિ ઉપર મળ વગેરે પરઠવે, અને ત્રસકાયવિષયક પરીક્ષા કરવા માટે બેઇંદ્રિયાદિ જીવાકુલભૂમિમાં મળ વગેરે પરઠવે. આ રીતે છકાયના વિષયમાં સર્વ આચરણા અન્યથા કરવા દ્વારા નવદીક્ષિતને સૂત્રોના અર્થોનો સમ્યમ્ બોધ થયો છે કે નહિ, તેની ગીતાર્થ સાધુ પરીક્ષા કરે. વળી, શૈક્ષ ગોચરીએ ગયેલ હોય ત્યારે તેની પરીક્ષા માટે ગીતાર્થ સાધુ સચિત્ત પૃથ્વી, પાણી વગેરેથી ખરડાયેલ ભિક્ષા ગ્રહણ કરે, અથવા તો પૃથ્વીકાયાદિથી સંસક્ત ભિક્ષા ગ્રહણ કરે. l૬૬૪/૬૬પી અવતરણિકા: પૂર્વની બે ગાથામાં શેક્ષની પરીક્ષા કરવા અર્થે શૈક્ષ સાથે ગયેલ ગીતાર્થ સાધુની વિપરીત આચરણાઓ દર્શાવી. હવે તે વિપરીત આચરણાઓ દ્વારા શૈક્ષની કઈ રીતે પરીક્ષા થાય, તે જણાવતાં કહે છે – ગાથા : जइ परिहरेइ सम्मं चोएइ व घाडिअं तहा( ? तया) जोग्गो । होइ उवठावणाए तीए य विही इमो होइ ॥६६६॥ અન્વયાર્થ: ન સબં-જો (સ્વયં) સમ્યગુ રિ-પરિહાર કરે છે, પ૩િi અથવા ઘાટિકને થોડું-પ્રેરે છે, તવ=ત્યારે (શૈક્ષ) વહીવUTIC=ઉપસ્થાપનાનેનોપો દોડું યોગ્ય થાય છે. તીય અને તેની=ઉપસ્થાપનાની, ફો=આ=આગળમાં કહેવાશે એ, વિટ્ટી રોડ્ર-વિધિ છે. * મૂળગાથામાં તહાં છે તેને સ્થાને ટીકા પ્રમાણે તથા હોવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy