________________
૮૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૩-૪૬૪
ભાવાર્થ :
જે રીતે તેલ વગેરે પદાર્થોના સેવનથી જે રોગ ઉત્પન્ન થયો હોય, તે પદાર્થોનું સેવન છોડી દેવામાં આવે તો તે રોગનો ક્ષય થાય છે; તે રીતે કર્મરૂપી રોગ પણ દુપ્પણિહિત યોગોથી પ્રગટ થાય છે, અને તે દુષ્પરિહિત યોગોનો ત્યાગ કરવાથી કર્મરૂપી રોગ નાશ પામે છે.
અહીં ફક્ત એટલી વિશેષતા છે કે કર્મરૂપી વ્યાધિ મટાડવા માટે નિદાનના વર્જનપૂર્વક દુષ્પરિહિત યોગોનો ત્યાગ કરવો જોઈએ. આશય એ છે કે કોઈ સાધુ પ્રમાદને કારણે સેવેલા અતિચારોની આલોચના કરે તો સામાન્યથી તે સાધુ યોગોને સુપ્રણિહિત કરે છે, છતાં તે સાધુ આલોચના કરીને ગુરુની કૃપા મેળવવાની ઇચ્છાવાળા હોય અથવા અન્ય કોઈ આશંસાવાળા હોય, તો તે સુપ્રસિહિત યોગો નિદાનવાળા છે. તેથી નિદાનપૂર્વકના તે સુપ્રસિહિત યોગોથી તે સાધુનો કર્મવ્યાધિ મટે નહિ. તેથી આલોક-પરલોકની આશંસા વગર, થયેલા પાપને ફરી નહીં કરવાના પરિણામ પૂર્વક, સમ્યમ્ રીતે પાપની આલોચના કરવામાં આવે, તો તે પાપ અવશ્ય નાશ પામે છે. ૪૬૩ અવતરણિકા :
તત – અવતરણિકાર્ય :
ગાથા ૪૬રમાં કહ્યું કે આલોચનારૂપ સુપ્રણિહિત યોગો દ્વારા દુષ્પણિહિત યોગોથી ઉત્પન્ન થયેલ પાપ નાશ પામે છે, અને તે વાતને ગાથા ૪૬૩માં વ્યાધિના દૃષ્ટાંતથી ભાવન કરી. તે કારણથી શું કરવું જોઈએ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
અને તેથી
ગાથા :
उप्पण्णा उप्पण्णा माया अणुमग्गओ निहंतव्वा ।
आलोअणनिंदणगरहणाहिं न पुणो अ बीअं च ॥४६४॥ અન્વયાર્થ :
૩MUST ૩MUT માયા–ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા મજુમો અનુમાર્ગથી=તરત જ, માત્નો - નિવUર્દિ -આલોચન, નિંદા અને ગહ વડે નિદંતળા=હણવી જોઈએ. પુજે મ=અને ફરી વીમાં ન=બીજું નહીં-પૂર્વમાં કરેલું પાપ જ બીજી વાર કરવું જોઈએ નહીં. * “રા' પાદપૂર્તિમાં છે.
ગાથાર્થ :
ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા તરત જ આલોચન, નિંદા અને ગહ વડે હણવી જોઈએ, અને ફરી પૂર્વમાં કરેલું પાપ જ બીજી વાર કરવું જોઈએ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org