________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૨-૪૬૩
ભાવાર્થ:
મન-વચન-કાયાના દુપ્પણિહિત યોગો વડે પાપ જ બંધાય છે. આશય એ છે કે ભગવાનના વચનથી નિયંત્રિત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોય તો યોગો સુપ્રણિહિત કહેવાય, અને જે યોગો ભગવાનના વચનથી નિયંત્રિત નથી અને અનાદિના અભ્યાસથી જ પ્રવર્તે છે તે યોગો દુપ્પણિહિત કહેવાય, અને તેનાથી પાપ જ બંધાય છે.
આથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ ભગવાનના વચન પ્રમાણે ચાલવાનું પ્રણિધાન, જીવના અશુભ યોગોનું નિયંતા અર્થાતુ નિયંત્રણ કરનાર, બને નહીં, તો તે મન-વચન-કાયાના યોગોથી અતિચારરૂપ પાપ પ્રાપ્ત થાય છે; અને જયારે મહાસાત્ત્વિક મુનિ તે મન-વચન-કાયાના યોગોને ભગવાનના વચનથી નિયંત્રિત કરે છે, ત્યારે સુપ્રણિહિત બનેલા તે યોગો દ્વારા તે મુનિનું દુપ્પણિહિત યોગોથી થયેલું પાપ નાશ પામે છે, અને પ્રણિધાનનો પ્રકર્ષ થાય તો ભવાંતરમાં ઉપાર્જન કરાયેલું શેષ પાપ પણ નાશ પામે છે.
આશય એ છે કે પ્રમાદવશાત્ કોઈક અતિચાર થાય ત્યારે મુનિના યોગો દુષ્પરિહિત બને છે, જેનાથી મુનિને પાપનો બંધ થતો હોય છે; પરંતુ જયારે ભગવાનના વચનાનુસાર તે યોગોનું સમ્યગૂ આલોચન કરવામાં આવે છે ત્યારે તે યોગો સુપ્રણિહિત બને છે, અને તે સુપ્રણિહિત બનેલા યોગો દુપ્પણિહિત યોગોથી થયેલા પાપનો નાશ કરે છે, અને સુપ્રણિહિત યોગોમાં પણ પ્રણિધાનનો પ્રકર્ષ થાય તો પૂર્વ જન્મોમાં ઉપાર્જન કરેલાં કર્મોનો પણ ક્ષય થાય છે. તેથી પ્રાયશ્ચિત્ત કરતાં કરતાં પણ ઘણા મહાત્માઓને કેવળજ્ઞાન થઈ ગયું. |૪૬ ૨
ગાથા :
जो जत्तो उप्पज्जइ वाही सो वज्जिएण तेणेव ।
खयमेइ कम्मवाही वि नवरमेवं मुणेअव्वो ॥४६३॥ અન્વયાર્થ:
નો વહી=જે વ્યાધિ નો ૩પન્ન જેનાથી ઉત્પન્ન થાય છે, તો તે વન્ના તેનેવ વર્જિત એવા તેનાથી જ રાયમેટ્ટ ક્ષયને પામે છે. નવ ફક્ત મવાદી વિકર્મવ્યાધિ પણ અવં=આ પ્રમાણે મુળવ્યો જાણવો. ગાથાર્થ :
જે વ્યાધિ જેનાથી ઉત્પન્ન થાય છે, તે વ્યાધિ વર્જિત એવા તેનાથી જ ક્ષય પામે છે, ફક્ત કર્મરૂપી વ્યાધિ પણ આ પ્રમાણે જાણવો. ટીકા : ___ यो यत उत्पद्यते व्याधिस्तैलादेः स वजितेन तेनैव क्षयमेति, कर्मव्याधिरपि नवरमेवं मन्तव्यो निदानवर्जनेनेति गाथार्थः ॥४६३॥ ટીકાર્ય
જે વ્યાધિ જે તેલાદિથી ઉત્પન્ન થાય છે, વર્જેલા એવા તેનાથી જ તે વ્યાધિ ક્ષયને પામે છે. ફક્ત નિદાનના વર્જન વડે કર્મરૂપી વ્યાધિ પણ આ પ્રમાણે જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org