SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૧-૪૬૨ સંસારમાં ભમીશ.” તેથી આવા સાધુ જ્યારે પાપોનું ગુરુ પાસે આલોચન કરે છે, અને પોતે સેવેલ પાપોની હૈયાપૂર્વક નિંદા કરે છે, ત્યારે તે મહાત્માને લાગે છે કે હવે હું કર્મોના ભારથી હલકો થઈ ગયેલો છું,” આથી તે સાધુ સમાધિપૂર્વક આરાધનામાં યત્ન કરી શકે છે. અને જયાં સુધી થયેલાં પાપોની નિંદાઆલોચના ન કરી હોય, ત્યાં સુધી તેવા સાધુને પોતે સેવેલ પાપો સતત ભારરૂપ પ્રતીત થાય છે, જેથી સંયમની અન્ય ક્રિયાઓ કરવા છતાં તેઓ સમાધિ મેળવી શકતા નથી. માટે આવા મહાત્માઓ પાપની આલોચના-નિંદા કરવા દ્વારા હલકા થાય છે. ll૪૬૧l અવતરણિકા: कथमेतदेवं ? इत्यत्रोपपत्तिमाह - અવતરણિતાર્થ : આ આમ કેમ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આલોચના અને નિંદા કરનારો કૃપાપવાળો પણ મનુષ્ય કર્મને આશ્રયીને અતિશયહલકો થાય છે, એ એમ કેમ છે? એ પ્રકારની શંકામાં ઉપપત્તિને યુક્તિને, કહે છે – ગાથા : दुप्पणिहियजोगेहिं बज्झइ पावं तु जो उ ते जोगे । सुप्पणिहिए करेई झिज्जइ तं तस्स सेसं पि ॥४६२॥ અન્વયાર્થ: સુપ્પણિદિયનોર્દિ-દુપ્પણિહિત યોગો વડે પાર્વ તુ=પાપ જ વરુ બંધાય છે. તો વળી જે તે નોને= યોગોને સુપ્પણિ વોર્ડ સુપ્રણિહિત કરે છે, તે તેનું તંત્રતે-દુષ્પરિહિત યોગોથી ઉપાર્જન થયેલું પાપ, (અને) સે પિકશેષ પણ=ભવાંતરમાં ઉપાર્જન કરેલું પાપ પણ, ફિઝડૂક્ષય પામે છે. ગાથાર્થ : દુપ્રણિહિત યોગો વડે પાપ જ બંધાય છે, વળી જે તે યોગોને સુપ્રણિહિત કરે છે, તેના દુપ્રણિહિત રોગોથી ઉપાર્જન થયેલાં પાપ, અને ભવાંતરમાં ઉપાર્જન કરેલાં પાપ પણ ક્ષય પામે છે. ટીકાઃ दुष्प्रणिहितयोगैः मनोवाक्कायलक्षणैर्बध्यते पापमेव, यस्तु महासत्त्वस्तान् योगान् मनःप्रभृतीन् सुप्रणिहितान् करोति, क्षीयते तत्=दुष्प्रणिहितयोगोपात्तं पापं तस्य सुप्रणिहितयोगकर्तुः, शेषमपि भवान्तरोपात्तं क्षीयते प्रणिधानप्रकर्षादिति गाथार्थः ॥४६२॥ ટીકાર્થ : મન-વચન-કાયાના લક્ષણવાળા દુષ્પરિહિત એવા યોગો વડે પાપ જ બંધાય છે. વળી જે મહાસત્ત્વવાળા તે મન વગેરે યોગોને સુપ્રણિહિત કરે છે, તેનું સુપ્રણિહિત યોગોને કરનારનું, તે દુષ્પણિહિત યોગોથી ઉપાર્જાયેલું પાપ ક્ષય પામે છે, ભવાંતરમાં ઉપાત્ત પૂર્વભવોમાં ઉપાર્જાયેલું, શેષ પણ પાપ પ્રણિધાનના પ્રકર્ષથી ક્ષય પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy