________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦-૪૬૧ પાપ નિવેદન કરતા હોય ત્યારે પોતાની સાથે જ ગોચરી વગેરેમાં આવેલા અન્ય સાધુ પણ પોતાનું પાપ આચાર્ય પાસે નિવેદન કરતા હોય, અને તે વખતે તે અન્ય સાધુ કોઈક કારણે પોતાના કોઈક અતિચારને ગુરુ પાસે નિવેદન કરવાનું ભૂલી જાય તો વિસ્મૃત એવા તે અતિચારનું પણ પોતે ગુરુને નિવેદન કરે. //૪૬ol. અવતરણિકા:
आलोचनागुणमाह - અવતરણિયાર્થ:
આલોચનાના ગુણને કહે છે અર્થાત્ ગાથા ૪૫૯-૪૬૦માં આલોચનાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ રીતે આલોચના કરનાર સાધુને થતા લાભ બતાવે છે –
ગાથા :
कयपावो वि माणूसो आलोइअनिदिओ गुरुसगासे ।
होइ अइरेगलहुओ ओहरिअभरो व्व भारवहो ॥४६१॥ અન્વયાર્થ:
મોરૂમો મારવો 4=અપહૃત ભારવાળા ભારવહની જેમ=લઈ લીધેલા ભારવાળા ભારવહન કરનારની જેમ, ગુરુ -ગુરુની પાસે માત્નોવિંચિ=આલોચિત-નિંદિત એવો પાવો વિમાનોકૃતપાપવાળો પણ મનુષ્ય માત્રદુરો=અતિરેક લઘુકઃકર્મને આશ્રયીને અતિશય હલકો, રોટ્ટ થાય છે. ગાથાર્થ :
લઈ લીધેલા ભારવાળા ભારવાહકની જેમ, ગુરુ પાસે આલોચિત-નિંદિત એવો કૃતપાપવાળો પણ મનુષ્ય કર્મને આશ્રયીને અતિશય હલકો થાય છે. ટીકાઃ __ कृतपापोऽपि सन् मनुष्यः आलोचितनिन्दितो गुरोः सकाशे आचार्यान्तिक एव भवति अतिरेकलघुः काङ्गीकृत्य अपहृतभर इव भारवहः कश्चिदिति गाथार्थः॥४६१॥ ટીકાઃ
ગુરુની સકાશમાંઆચાર્યની અંતિકમાં જ, આલોચિત-નિંદિત કરાઈ છે આલોચના અને કરાઈ છે નિંદા જેના વડે એવો, કરેલ પાપવાળો પણ છતો મનુષ્ય, અપહત ભારવાળા કોઈક ભારવહની જેમ કર્મને આશ્રયીને અતિરેક લઘુ=અતિશય હલકો, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જેમ ઘણો ભાર ઉપાડીને ફરતા ભારવાહકનો ભાર કોઈ ઉતારે છે ત્યારે તેને ક્ષણભર પોતે સાવ હલકીફૂલ થયો હોય તેવો અનુભવ થાય છે; તેમ કર્મવશાત્ અતિચારો સેવ્યા હોય તો “અતિચારો સંસારમાં ડુબાડનાર છે, તેવા જ્ઞાનવાળા સાધુને પોતે કર્મના ભારથી ભારે છે તેવું સતત લાગ્યા કરે છે, આથી તેવા સાધુને સતત ચિંતા થાય છે કે “જો હું આ કર્મોના ભારથી હલકો નહીં થાઉં તો આ ભારના વજનથી હું દુરંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org