SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનચાવતુક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૦ ગાથાર્થ : થયેલા અતિચારો ફરી નહીં કરવાના પરિણામ વડે સંવેગને પામીને આચાર્યની પાસે સુવિહિત સાધુ જેવી રીતે પોતાના અતિચારોને જણાવે, તેવી રીતે પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના ભૂલી ગયેલ અતિચારોને પણ જણાવે. ટીકાઃ विनीयतेऽनेन कर्मेति विनयः पुनस्तदकरणपरिणामः तेन, विनयमूलं संवेगं गत्वा प्राप्य आचार्यपादमूले आचार्यान्तिक एव ज्ञापयेत् सुविहितः साधुर्यथाऽऽत्मानं तथा परमपि विस्मृतं समानधाम्मिकमिति गाथार्थः ॥४६०॥ ટીકાર્ય દૂર કરાય છે કર્મ આના વડે એ વિનય–ફરી તેના અકરણનો પરિણામ =થઈ ગયેલા અતિચારોને ફરીથી નહીં કરવાનો પરિણામ, તેના વડે તે વિનય વડે, વિનયના ભૂલને વિષે જઈને સંવેગને પામીને, આચાર્યના પાદમૂલમાં–આચાર્યના અંતિકમાં જ, સુવિહિત સાધુ જે રીતે આત્માને પોતાને, જણાવે, તે રીતે પરને પણ=વિસ્મૃત એવા સમાનધાર્મિકને પણ=કોઈક અતિચાર જણાવવાનું ભૂલી ગયેલ એવા પોતાના સમાન ધર્મવાળા અન્ય સાધુને પણ, જણાવે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આના વડે કર્મ દૂર કરાય છે એ વિનય અર્થાત્ ફરી તે પાપ નહીં કરવાનો પરિણામ; આનાથી એ ઘોતિત થાય કે માત્ર હાથ જોડીને ગુરુ પ્રત્યેના હૈયામાં વર્તતા બહુમાનભાવથી આલોચના સાધુ કરતા નથી, પરંતુ જે પાપની પોતે આલોચના કરે છે તે પાપ ફરી નહીં કરવાનો હૈયામાં સંકલ્પ પ્રગટે તેવા પ્રકારના ઉપયોગપૂર્વક ગુરુ પાસે પાપના નિવેદનરૂપ આલોચના કરે છે, અને તે પ્રકારે કરાયેલી આલોચના વિનયપૂર્વકની કહેવાય; કેમ કે પોતાનાં દુષ્કત પોતાને ખટકે છે તેવા આશયથી શિષ્ય ગુરુ પાસે આલોચના કરે છે, અને તેવો આશય ખરેખર હૈયામાં વર્તતો હોય તો આલોચનાકાળમાં અપેક્ષિત એવો વિનયનો ભાવ પ્રગટ થઈ શકે છે. વળી, “વિનયના મૂલરૂપ સંવેગને પામીને સાધુ આલોચના કરે,” એ કથનનું તાત્પર્ય એ છે કે જીવમાં સંવેગનો પરિણામ હોય તો ફરી પાપ નહીં કરવાનો પરિણામ પ્રગટી શકે; પરંતુ જો જીવમાં સંવેગનો પરિણામ ન હોય અને માત્ર એટલી જ ઇચ્છા હોય કે થયેલા પાપનું ફળ મને પ્રાપ્ત ન થાઓ, તો ગુરુ આગળ આલોચના કરતી વખતે તે પાપ ફરી નહીં કરવાનો પરિણામ પ્રગટ થતો નથી; કેમ કે તે જીવને પાપ પ્રત્યે જુગુપ્સા થઈ નથી, પરંતુ તે જીવ ફક્ત પોતે કરેલ પાપથી પ્રાપ્ત થતા અનર્થોથી બચવા માટે આલોચના કરે છે. તેથી સાધુઓ પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય તેવા પરિણામરૂપ સંવેગથી આલોચના કરે છે. વળી, “સુવિહિત સાધુ ગુરુ પાસે જેમ આત્માને જણાવે તેમ પરને પણ જણાવે,” એ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુ પોતે સેવેલ અતિચારોને તો આચાર્ય પાસે નિવેદન કરે, પરંતુ સમાનધાર્મિક એવા અન્ય સાધુના વિસ્મૃત થઈ ગયેલા અતિચારોને પણ આચાર્ય પાસે નિવેદન કરે અર્થાત્ સાધુ જ્યારે આચાર્ય પાસે પોતાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy