SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિનિશિવસ્તક “આવ યકાદિ દ્વાર/ ગાથા ૪૫૮-૫૯, ૪૬૦ ૭૫ પૃથ્વી આદિના સંઘટ્ટનાદિ રૂપ સૂક્ષ્મ પણ, કોઈક રીતે આપતિત એવા બાદર પણ અતિચારોને આત્મશુદ્ધિના નિમિત્તે આલોચન કરે છે, જે કારણથી અહંદુ વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનશાસનમાં આલોચના કરવા માટેની વિશેષ મુદ્રા બતાવેલ હોવાથી સાધુઓ બે હાથ જોડીને, હાથમાં રજોહરણ પકડીને, અડધા નમેલા શરીરવાળા થઈને, જે ક્રમથી કાયોત્સર્ગમાં પોતે અતિચારો ચિંતવ્યા હતા તે ક્રમથી ઉપયોગપૂર્વક અતિચારોની આલોચના કરે છે. અહીં સાધુઓને “ઉપયુક્ત' વિશેષણ આપવા દ્વારા એ કહેવું છે કે પોતે કાયોત્સર્ગમાં અતિચારોનું જે રીતે ચિંતવન કર્યું છે તે રીતે આલોચના કરતી વખતે અતિચારોનું સભ્યપ્રકાશન કરવામાં સાધુઓ ઉપયુક્ત હોય છે, વળી અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સાનો ભાવ પ્રગટ થાય અને થઈ ગયેલા અતિચારોને ફરી નહીં સેવવાનો અંતરંગ પરિણામ પ્રગટે તે રીતે સાધુઓ ઉપયુક્ત હોય છે. હવે સાધુઓ આલોચનકાળમાં શેનું આલોચન કરે છે? તે બતાવવા કહે છે કે આલોચનકાળમાં સંસારથી ઉદ્વિગ્ન થયેલા અને વિશુદ્ધભાવવાળા સાધુઓ અતિચારચિંતવનકાળમાં ચિંતવન કરાયેલા સૂક્ષ્મ પણ અતિચારોનું આલોચન કરે છે. આશય એ છે કે સાધુઓ સંસારના સ્વરૂપને જાણનારા હોય છે, તેથી સંસારથી ઉદ્વિગ્ન હોય છે. વળી સાધુઓ જાણતા હોય છે કે ભાવનિષ્પત્તિનું કારણ અતિચાર છે, માટે ભવનો નાશ કરવા અતિચારોનો પણ નાશ કરવો જોઈએ. માટે અતિચારોનો નાશ થાય તેવા ઉપયોગપૂર્વક સાધુઓ અતિચારની શુદ્ધિ માટે વિશુદ્ધ ભાવપૂર્વક આલોચના કરે છે, પરંતુ અન્ય કોઈ ભાવોથી આલોચના કરતા નથી. ll૪૫૮૪૫લા અવતરણિકા: किं तदित्याह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી ભગવાન વડે કહેવાયું છે. ભગવાન વડે કહેવાયેલું તે શું છે? એને કહે છે – ગાથા: विणएण विणयमूलं गंतूणायरिअपायमूलंमि । जाणाविज्ज सुविहिओ जह अप्पाणं तह परं पि ॥४६०॥ અન્વયાર્થ: વિપ=વિનય વડે=થયેલ અતિચારોને ફરી નહીં કરવાના પરિણામ વડે, વિપાયમૂર્તિ વિનયના મૂલન=સંવેગને, તૂ–પામીને માથમિપાયમૂર્નામિ આચાર્યના પાદમૂલમાં વિોિ સુવિહિતનદ જેવી રીતે પ્રાપ આત્માને પોતાના અતિચારોને, નાવિM=જણાવે, તદ–તેવી રીતે પાંકિપરને પણ= પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના ભૂલી ગયેલ અતિચારોને પણ, (જણાવે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy