________________
૦૨
પ્રતિદિનક્રિચાવતુક/ “આવશ્યકાદિ' હાર/ ગાથા ૪૫૫-૪૫૬, ૪૫૦
કરવું એ સંયમજીવનનું ઉપયોગી અંગ છે, તેથી પોતાના પગના સાંધાઓને પ્રમાર્જીને બેઠા પછી ઉપયોગવાળા થઈને સર્વ પણ સાધુઓ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને તે મુહપત્તિ દ્વારા જ કાયાનું પ્રમાર્જન કરે છે, જેથી જીવરક્ષાનો પરિણામ અતિશયિત થાય. અહીં “ઉપયુક્ત” શબ્દથી જીવરક્ષાનો પરિણામ થાય તે પ્રકારનો માનસયત્ન અપેક્ષિત છે. - હવે મુહપત્તિ પલેવ્યા બાદ સાધુઓ અતિચારોની શુદ્ધિ માટે ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે વિનયપૂર્વક સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં બે વાંદણાં આપે છે અર્થાત્ વાંદણાં આપતી વખતે શિષ્યના છ પ્રશ્નોના ગુરુ છ ઉત્તર આપે છે, જે છ સ્થાનો આવશ્યકનિયુક્તિની ગાથા ૧૨૦૦માં બતાવેલ છે, અને તે પ્રમાણે ૨૫ આવશ્યકોવાળી અને વંદનના ૩૨ દોષોથી રહિત એવી વાંદણાંની ક્રિયા સર્વ સાધુઓ કરે છે, અર્થાત્ આવશ્યકનાં છ સ્થાનોમાં સાધુઓ તે રીતે ઉપયુક્ત રહે, જેથી તે તે સ્થાનોથી ગુરુને ઉચિત પૃચ્છા દ્વારા ગુરુ પ્રત્યેનો વિનયભાવ વૃદ્ધિ પામે. વળી ૨૫ આવશ્યકોને તે રીતે કરે, જેથી ગુણવાન પ્રત્યેના વિનયની વૃદ્ધિ થાય, વળી વાંદણાંમાં તે રીતે સર્વ દોષોનો પરિહાર કરે, જેથી ક્રિયામાં અપ્રમાદભાવની વૃદ્ધિ થાય અને સમ્યફ નિર્જરાની પ્રાપ્તિ થાય. II૪૫૫/૪૫૬lી. અવતરણિકા:
प्रसङ्गतो वन्दनस्थानान्याह - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ દેવસિક પ્રતિક્રમણમાં શ્રેષ્ઠ વિનય વડે કૃતિકર્મ વંદન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે વંદન કરવાનાં સ્થાનો કેટલો છે? માટે પ્રસંગથી વંદનનાં સ્થાનોને કહે છે –
ગાથા :
आलोयण वागरणस्स पुच्छणे पूअणंमि सज्झाए ।
अवराहे अ गुरूणं विणओमूलं च वंदणयं ॥४५७॥ અન્વચાઈ:
માનો=આલોચનામાં, વાર/રૂ પુછો વ્યાકરણની પૃચ્છામાં, પૂમિ=પૂજામાં, સટ્ટાણ= સ્વાધ્યાયમાં અવારા =અને અપરાધમાં ગુvi-ગુરુને વિનમૂનં ર વંલાયં વિનયનું મૂલ જ એવું વંદન થાય છે. * “a' કાર અર્થક છે. ગાથાર્થ
આલોચનામાં, વ્યાકરણની પૃચ્છામાં, ગુરુની પૂજામાં, સ્વાધ્યાયમાં અને અપરાધમાં ગુરુને વિનયનું મૂલ જ એવું વંદન થાય છે. ટીકા? ... आलोचनायां तथा व्याकरणस्य प्रश्ने तथा पूजायां तथा स्वाध्याये तथाऽपराधे च क्वचिद्गुरोविनयमूलं तु वन्दनकमिति गाथार्थः ॥४५७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org