________________
પ્રતિદિનચાવતુક “આવકાદિ દ્વાર/ ગાથા ૪૫-૪૫૪
ટીકાર્થ:
મૂળગાથામાં નમસ્કારના ગ્રહણથી “નમો અરિહંતાણંએ પ્રમાણે કહે છે, ચતુર્વિશતિના ગ્રહણથી લોકના ઉદ્યોતકરનેકલોગસ્સ સૂત્રને, બોલે છે, કૃતિકર્મના ગ્રહણથી વંદનને કરે છે, આલોચનના ગ્રહણથી આલોચન કરે છે, પ્રતિક્રમણના ગ્રહણથી પ્રતિક્રમણ કરે છે, ત્યારપછી કૃતિકર્મને કરે છે અને દુરાલોચિત-દુષ્પતિક્રાંતના વિષયવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ :
કાયોત્સર્ગમાં સાધુઓ પોતાને લાગેલ અતિચારોને ચિત્તમાં ધારણ કરી રાખે છે, ત્યારપછી “નમો અરિહંતાણં એ પ્રકારના ઉચ્ચારણપૂર્વક કાર્યોત્સર્ગ પારે છે, ત્યારબાદ ચતુર્વિશતિસ્તવરૂપ લોગસ્સ સૂત્ર બોલે છે, ત્યારબાદ કૃતિકર્મ કરે છે અર્થાત્ વાંદણાં આપે છે અને પછી કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોનું આલોચન કરે છે, ત્યારબાદ પગામસિક્કા બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે, ત્યારબાદ ફરી વાંદણાં આપે છે . અને પછી પૂર્વમાં આલોચન અને પ્રતિક્રમણથી અતિચારોની કરેલ શુદ્ધિમાં અનાભોગથી કોઈ અતિચાર દુરાલોચિત હોય કે દુષ્પતિક્રાંત હોય તો તેની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે.
આ ગાથા આવશ્યકના અવયવોનું સૂચન કરનાર છે, અને સૂચન કરેલ તે દરેક અવયવનો વિસ્તૃત અર્થ આગળની ગાથાઓમાં ગ્રંથકાર સ્વયં બતાવે છે. ૪પ૩. અવતરણિકા :
વ્યાસાર્થ વાદઅવતરણિતાર્થ
વળી વ્યાસાર્થને-પૂર્વગાથામાં બતાવેલ સૂચાગાથાના વિસ્તારથી અર્થને, ગાથા ૪૮૧ સુધી કહે છે –
ગાથા :
उस्सग्गसमत्तीए नवकारेणमह ते उ पारिति ।
चउवीसगं ति दंडं पच्छा कटुंति उवउत्ता ॥४५४॥ અન્વયાર્થ :
રૂપાલમત્તU=કાયોત્સર્ગની સમાપ્તિ થયે છતે મદતરત નવરેv=નવકાર વડે તે–તેઓસાધુઓ, પરિતિક(કાયોત્સર્ગને) પારે છે. પછી=પછી ૩વત્તા=ઉપયુક્ત એવા સાધુઓ વડવી પંચતુર્વિશતિ દંડને લોગસ્સ સૂત્રને, તિબોલે છે. * ‘' પાદપૂતિ અર્થે છે. * “તિ' પાદપૂતિ અર્થે છે. ગાથાર્થ :
કાયોત્સર્ગની સમાપ્તિ થયે છતે તરત નવકાર વડે સાધુઓ કાયોત્સર્ગ પારે છે. ત્યારપછી ઉપયુક્ત સાધુઓ લોગસ સૂત્ર બોલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org