________________
૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૪૯ અવતરણિકા:
ते चैवं भणन्तीत्याह - અવતરણિકાW:
અને તેઓ આચાર્યદેશીયો, આમ કહે છે, અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું તેમ “સર્વ સાધુઓ સામાયિક સૂત્રનું પણ ગુરુની સાથે જ ઉચ્ચારણ કરે છે એ પ્રમાણે કહેનારા અન્ય આચાર્યો, પ્રસ્તુત ગાથામાં કહેવાય છે એમ કહે છે –
ગાથા :
आयरिओ सामइयं कड्डइ जाहे तहट्ठिया ते वि ।
ताहे अणुपेहंती गुरुणा सह पच्छ देवसि ॥४४९॥ અન્વયાર્થ:
નાદે જ્યારે માોિ =આચાર્યસામગ્રં=સામાયિકન=કરેમિ ભંતે સૂત્રને, કૂફ બોલે છે, ત્યારે તઠ્ઠિયા તે વિ=તથાસ્થિત તેઓ પણ કાયોત્સર્ગમાં રહેલ સાધુઓ પણ, ગુરુ સદગુરુ સાથે ગપુપેદ્યુતીક અનુપ્રેક્ષા કરે છે સામાયિકસૂત્રને જ ચિંતવે છે. પછ ફેવસિં =પાછળથી દૈવસિકને (ચિંતવે છે.) ગાથાર્થ :
જ્યારે આચાર્ય સામાયિક સૂત્ર બોલે છે, ત્યારે કાયોત્સર્ગમાં રહેલા સાધુઓ પણ ગુરુ સાથે સામાયિક સૂત્રને જ ચિંતવે છે, પાછળથી દેવસિક અતિચારને ચિંતવે છે. ટીકાઃ
आचार्यः सामायिकमाकर्षति-पठति-उच्चारयतीत्यर्थः यदा, तथास्थिता: कायोत्सर्गस्थिता एव तेऽपि साधवः तदा अनुप्रेक्षन्ते चिन्तयन्ति सामायिकमेव गुरुणा सह, पश्चाद्देवसिकं चिन्तयन्तीति માથાર્થ: ૪૪૨ ટીકાર્ય
જ્યારે આચાર્ય સામાયિકને બોલે છે–ઉચ્ચારે છે, ત્યારે તે રીતે રહેલા=કાયોત્સર્ગમાં રહેલા જ, તેઓ પણ=સાધુઓ પણ, ગુરુ સાથે સામાયિકને જ અનુપ્રેક્ષણ કરે છે–ચિંતવે છે, પાછળથી દેવસિકને દિવસ સંબંધી અતિચારને, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અન્ય આચાર્યોનો મત એ છે કે ગુરુ શ્રાવકાદિના કથનરૂપ વિપ્નવાળા હોય તો સાધુઓ સામાયિકનું ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગમાં રહીને સૂત્રાર્થનું ચિંતવન કરે છે. અને જ્યારે ગુરુ માંડલીમાં આવે અને સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે અન્ય સાધુઓ કાયોત્સર્ગ પાર્યા વગર કાયોત્સર્ગ મુદ્રામાં રહીને જ ગુરુની સાથે સામાયિક સૂત્રનું મનમાં ચિંતવન કરે છે, અને ગુરુ જયારે કાયોત્સર્ગમાં અતિચારનું ચિંતવન કરે ત્યારે કાયોત્સર્ગમાં રહેલ તે સાધુઓ પણ અતિચારનું ચિંતવન કરે છે. II૪૪લા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org