SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિચાવતુકી આવશયકાદિ દ્વાર/ ગાથા ૪૮ અન્વયાર્થક =વળી અહીં આવશ્યકના અધિકારમાં, (આ વિધિ છે:) પુā=પૂર્વે કાયોત્સર્ગના પ્રારંભકાળમાં, વયસાફિયાકૃતસામાયિકવાળા કરેમિભંતે સૂત્ર બોલી લીધું છે જેમણે એવા સાધુઓ, ગુરુષો = અને ગુરુના તહેવામિત્તેના અવસાનમાં સામાયિક સૂત્રના ઉચ્ચારણના અંતમાં, તેવ સમં તેની જ સાથે ગુરુની જ સાથે, ગા=અતિચારને વિનંતી ચિતવે છે. મvisv=અન્યો કહે છે સર્વ સાધુઓ સામાયિક સૂત્રનું પણ ગુરુની જ સાથે ઉચ્ચારણ કરે છે, એ પ્રમાણે અન્ય આચાર્યો કહે છે. ગાથાર્થ : આવશ્યકના અધિકારમાં આ વિધિ છે – કાયોત્સર્ગના પ્રારંભકાળમાં કુલ સામાચિકવાળા સાધુઓ, અને ગુરુના સામાયિક સૂત્રના ઉચ્ચારણના અંતમાં ગુરુની સાથે જ અતિચારને ચિંતવે છે. સર્વ સાધુઓ સામાયિક સૂરનું પણ ગુરુની જ સાથે ઉચ્ચારણ કરે છે, એમ અન્ય આચાર્યો કહે છે. ટીકાઃ ___ अत्र पुनः आवश्यकाधिकारे अयं विधिः, यदुत - कृतसामायिकाः पूर्व कायोत्सर्गावस्थानकाले, गुरोश्च तदवसाने सामायिकोच्चारणावसाने, अतिचारं चिन्तयन्ति दैवसिकं तेनैव-गुरुणा समं सार्द्ध, सामायिकमपि उच्चारयन्तीति भणन्ति अन्ये आचार्यदेशीया इति गाथार्थः ॥४४८॥ ટીકાર્ય : વળી અહીં=આવશ્યકના અધિકારમાં, આ વિધિ છે, જે વિધિ યદુતથી બતાવે છે– પૂર્વેકકાયોત્સર્ગના અવસ્થાનના કાળમાં, કરાયેલ સામાયિકવાળા અને ગુરુના તેના અવસાનમાં=સામાયિકના ઉચ્ચારણના અવસાનમાં, તેની જ સાથે=ગુરુની જ સાથે, દેવસિક અતિચારને ચિંતવે છે. સામાયિકને પણ ઉચ્ચારે છેઃ સર્વ સાધુઓ સામાયિક સૂત્રને પણ ગુરુની સાથે જ બોલે છે, એમ અન્યો=આચાર્યદેશીયો=આચાર્યના અમુક વિભાગો, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આવશ્યકના અધિકારમાં આ વિધિ છે – જો આચાર્ય શ્રાવકાદિના કથનમાં વ્યાપૃત હોય તો સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરવાના સ્થાને આવીને કાયોત્સર્ગ કરતાં પહેલાં સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરે છે, જેથી સંયમનો પરિણામ દઢ થાય. ત્યારપછી કાયોત્સર્ગમાં સૂત્રાર્થનું સ્મરણ કરે છે, અને જ્યારે આચાર્ય ઉપદેશનું કાર્ય કરીને માંડલીમાં આવે અને સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગમાં રહે, ત્યારે ગુરુની જ સાથે સર્વ સાધુઓ કાયોત્સર્ગમાં દિવસના અતિચારોનું ચિંતવન કરે છે. અહીં આચાર્યના એક ભાગરૂપે અમુક આચાર્યો કહે છે કે સર્વ સાધુઓ કાયોત્સર્ગ પારીને અતિચારોનું તો ગુરુની સાથે ચિંતવન કરે છે, પરંતુ સામાયિક સૂત્ર પણ ગુરુની સાથે જ બોલે છે; અને તેઓની માન્યતા પણ ગ્રંથકારને સંમત છે, તેથી બંને મત પ્રમાણભૂત છે. ll૪૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy