________________
So
પ્રતિદિનક્રિયાવક! આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૪૫-૪૪૬
ટીકાર્ય
વળી જો આ અવસરે ગુરુ નિર્વાઘાત હોય=પ્રક્રાંત ક્રિયામાં વિદનના અભાવવાળા હોય, તો સર્વ પણ સાધુઓ ગુરુ સાથે આવશ્યકને=પ્રતિક્રમણને કરે છે. શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણાથી=શ્રાવક, વિધિ, ધર્મ અને પદાર્થના કથનરૂપ વિઘ્નના ભાવથી, આવશ્યકમ=પ્રતિક્રમણની માંડલીમાં, ગુરુ પાછળથી આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સૂર્યાસ્ત થયા પછી સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરવાની માંડલીમાં આવે છે, અને તે વખતે ગુરુને વિઘ્નનો અભાવ હોય તો ગુરુ સાથે સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરે છે; પરંતુ તે વખતે ગુરુ કોઈને શ્રાવકનું અર્થાત્ શ્રાવકધર્મનું કથન કરતા હોય, જેના શ્રવણથી તે શ્રોતાને સંવેગની વૃદ્ધિ થતી હોય; અથવા ગુરુ કોઈ મહાત્માને વિધિનું કથન કરતા હોય; અથવા ગુરુ કોઈને ધર્મનું કથન કરતા હોય; અથવા ગુરુ કોઈને શાસ્ત્રીય પદાર્થનું કથન કરતા હોય, તો તે શ્રાવકાદિના કથનરૂપ વિપ્નને કારણે ગુરુ પ્રતિક્રમણની માંડલીમાં વિલંબનથી આવે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ગુરુ આવશ્યકમાંડલીમાં પ્રાયઃ કરીને તો કાળ જ આવે, છતાં ગુરુને કોઈ વિશેષ લાભનું પ્રયોજન જણાય તો ગુરુ પ્રતિક્રમણમાંડલીમાં પાછળથી પણ આવે છે. ૪૪પા અવતરણિકા
ગુરુ શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતવાળા હોવાથી જ્યાં સુધી પ્રતિક્રમણમાંડલીમાં ન આવે ત્યાં સુધી શેષ સાધુઓ શું કરે? તે બતાવે છે – ગાથા :
सेसा उ जहासत्ति आपुच्छित्ताण ठंति सट्टाणे ।
सुत्तत्थसरणहेडं आयरिअ ठिअंमि देवसि ॥४४६॥ અન્વયાર્થ:
મyછત્તા=(ગુરુને) પૂછીને રેસાવાળી શેષ સાધુઓ સાથે સ્વસ્થાનમાં કુથસફેસૂત્રાર્થના સ્મરણના હેતુથી સૂત્ર-અર્થના ચિતવન માટે, ગદ્દાત્ત યથાશક્તિ (કાયોત્સર્ગ વડે) ચંતિ=રહે છે. માથા ત્રિષિ=આચાર્ય રહ્યું છતે વ્યાક્ષેપના ઉત્તરકાળમાં આચાર્ય કાયોત્સર્ગ વડે સ્થિર થયે છતે, રેસિક દૈવસિકને=સર્વ સાધુઓ દિવસ સંબંધી અતિચારને, (ચિંતવે છે.) ગાથાર્થ :
ગુરને પૂછીને વળી શેષ સાધુઓ સ્વસ્થાનમાં સૂત્ર-અર્ચના ચિંતવન માટે યથાશક્તિ કાયોત્સર્ગ વડે રહે છે, વ્યાક્ષેપના ઉત્તરકાળમાં આચાર્ય કાયોત્સર્ગ વડે સ્થિર થયે છતે સર્વ સાધુઓ દિવસ સંબંધી અતિચારને ચિંતવે છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org