________________
૫૦.
પ્રતિદિનચાવતુફT “Wડલ' હાર/ ગાથા ૪૩૬
અવતરણિકા :
હવે સવારના પડિલેહણની વિધિ કરતાં સાંજના પડિલેહણની વિધિમાં જે કાંઈપણ જુદાપણું છે, તેને ગાથા ૪૩થી ૪૩૮માં સંક્ષેપથી દર્શાવે છે –
ગાથા :
पडिलेहगा उ दुविहा भत्तट्ठिअ एअरा उ नायव्वा ।
दोण्ह वि अ आइपडिलेहणा उ मुहणंतग सकायं ॥४३६॥ અન્વયાર્થ :
પવિત્વેદ =વળી પ્રતિલેખકો=પ્રતિલેખના કરનારા સાધુઓ, મમિ રી ભક્તાર્થી અને ઇતર=અભક્તાર્થી, (એમ) સુવિ નાયબ્રા બે પ્રકારના જાણવા. હોદવિ =અને બંનેની પણ સાફ
દUT =આદિની=પ્રારંભની, પ્રતિલેખના વળી મુviતા સવયં મુખાનન્તકને (અને) સ્વદાયને (આશ્રયીને પ્રવર્તે છે.) ગાથાર્થ :
વળી પ્રતિલેખના કરનારા સાધુઓ ભક્તાર્થી અને અભક્તાર્થી એમ બે પ્રકારના જાણવા, અને બંનેની પણ પ્રારંભની પ્રતિલેખના વળી મુહપત્તિને અને પોતાની કાયાને આશ્રયીને પ્રવર્તે છે. ટીકા :
प्रतिलेखकाः पुनर्द्विविधाः, भक्तार्थिनो ये तस्मिन्नहनि भुञ्जते इतरे तु अभक्तार्थिनो ये न भुञ्जते इति ज्ञातव्याः, द्वयोरपि चाऽनयोः आदिप्रतिलेखना पुनर्मुखानन्तकं मुखवस्त्रिका स्वकार्य स्वदेहं चाङ्गीकृत्य प्रवर्तत इति गाथार्थः ॥४३६॥ ટીકાર્ય
વળી પ્રતિલેખકો=પ્રતિલેખના કરનાર સાધુઓ, બે પ્રકારના જાણવા. જેઓ તે દિવસે ભોજન કરે છે તેઓ ભક્તાર્થી છે, વળી જેઓ તે દિવસે ભોજન કરતા નથી તેઓ ઇતર છે=અભક્તાર્થી છે. અને આ બંનેની પણ આદિની પ્રતિલેખના=પ્રતિલેખનાની શરૂઆત, વળી મુબાનન્તકને=મુખવસ્ત્રિકાને, અને સ્વકાયનેક પોતાના દેહને, આશ્રયીને પ્રવર્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાંજનું પડિલેહણ કરનારા કેટલાક સાધુઓ ઉપવાસવાળા હોય અને કેટલાક સાધુઓએ ભોજન વાપર્યું હોય છે. તે બંને પ્રકારના સાધુ સાંજના પડિલેહણના પ્રારંભમાં પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને પછી તે મુહપત્તિથી પોતાના દેહનું પ્રમાર્જન કરે છે, જેમાં મુહપત્તિના પડિલેહણ વિષયક ૨૫ સ્થાનો છે, તેમ જ કાયાના પ્રમાર્જન વિષયક અન્ય ૨૫ સ્થાનો છે. અને આ રીતે દેહનું પડિલેહણ અને પ્રમાર્જન કરવાથી ત્યારપછી કરાતી ઉપકરણોના પ્રત્યુપેક્ષણની ક્રિયાથી શરીર પર કોઈ સૂક્ષ્મ જંતુ પડે તો તેનો નાશ થતો નથી. ૪૩૬ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org