________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩ર-૪૩૩ આત્મવિરાધના અને સંયમવિરાધના થવાની સંભાવના વિશેષ છે. અને સ્ત્રી કે નપુંસકો દૂરથી જોતા હોય, તેવી ભૂમિમાં જો સાધુ યતનાપૂર્વક જાય તો કોઈ વિરાધના થવાનો સંભવ રહેતો નથી.
વળી, મનુષ્યસ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ ન મળવાથી સાધુ પશુઓના આગમનવાળી ભૂમિમાં જાય તો ત્યાં પણ સાધુ જુગુપ્સિત અને મદોન્મત્ત તિર્યંચોના આપાતવાળી ભૂમિનો પરિહાર કરે; કેમ કે જુગુણિત તિર્યંચોના કામાદિ વિકારો જોઈને સાધુને પણ વિકારો થવાની સંભાવના રહે છે, અને મદોન્મત્ત તિર્યચોથી આત્મવિરાધના અને સંયમવિરાધના થવાનો ભય રહે છે. ૪૩રા. ગાથા :
तत्तो इत्थिनपुंसा तिविहा तत्थ वि असोअवाईसु ।
तहिअं तु सद्दकरणं आउलगमणं कुरुकुआ य ॥४३३॥दारं॥ અન્વયાર્થ:
તો ત્યારપછી (મનુષ્યસ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું.) સ્થિનપુંસા તિવિહાં સ્ત્રી અને નપુંસકો ત્રણ પ્રકારના છે. તત્ય વિ ત્યાં પણ-ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા સ્પંડિલમાં પણ, ગામવાસુ=અશૌચવાદીઓમાં અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં, (જવું.) દિગંતુ=વળી ત્યાં અશૌચવાદી સ્ત્રી કે નપુંસકોના આપાતવાળાસ્થડિલમાં, સર ગાનામાં શબ્દનું કરણ, આકુલ ગમન યુવા અને કુરુકુચા થાય છે. ગાથાર્થ :
તિર્યંચોના આપાતવાળી ભૂમિ ન મળે તો, મનુષ્યસ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું. સ્ત્રી અને નપુંસકો ત્રણ પ્રકારે છે. તેમાં પણ અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું. વળી અશોચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં પણ અવાજ કરવાપૂર્વક જ ઉતાવળથી જવું અને કુરકુચા કરવી. ટીકાઃ ___ ततः स्त्रीनपुंसकानि त्रिविधाः(?त्रिविधानि) प्राकृतादिभिर्भेदेन अपवादचिन्तायां चिन्तनीयानीति शेषः, तथा चाह - तत्राऽपि अशौचवादिष्विति अशौचवाद्यापातवति स्थण्डिल इत्यर्थः, यतनामाह-तत्र तु शब्दकरणपूर्वमेव आकुलगमनं संरम्भगमनं, कुरुकुचा च पूर्ववदिति गाथार्थः ॥४३३॥ નોંધ:
ટીકામાં વિધાઃ ને સ્થાને વિધાન હોવું જોઈએ; કેમ કે સ્ત્રીનપુંસવનિ શબ્દ નપુંસકલિંગ અને બહુવચનમાં છે. ટીકાર્થ:
ત્યારપછી અપવાદની ચિંતામાં વિચારણામાં, ચિંતનીય=વિચારવા યોગ્ય, એવા સ્ત્રી અને નપુંસકો પ્રાકૃતાદિ વડે ભેદથી ત્રણ પ્રકારના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org