SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૦-૪૩૧ ટીકા : ____ उपन्यासक्रमप्रामाण्यात् प्रथमे स्थण्डिले उक्तस्वरूपे असति-अविद्यमाने, अमनोज्ञेतरयोरिति अमनोज्ञासंविग्नयोरिति, गृहिणां वाऽप्यालोकवति गन्तव्यमिति शेषः, तत्र चायं यतनाविधि:-प्रत्येकमात्रकाणीति प्रत्येकं मात्रकग्रहणं, कुरुकुचेति कुरुकुचाकरणं, द्रवं च प्रचुरमिति पानकं प्रभूतं गृह्यते, गृहस्थेष्विति "सूचनात्सूत्रं" इति न्यायाद् गृहस्थालोकवति स्थण्डिल इति गाथार्थः ॥४३०॥ ટીકાર્થ: ઉપન્યાસ ક્રમના પ્રામાણ્યથી ઉક્ત સ્વરૂપવાળું પ્રથમ ઈંડિલ નહીં હોતે છતે અવિદ્યમાન હોતે છતે, અર્થાત્ સ્પંડિલના દશ પ્રકારો જે ક્રમથી ગાથા ૩૯૯-૪00માં સ્થાપેલ છે, તે ક્રમનું પ્રમાણપણું હોવાથી પૂર્વમાં કહેવાયેલ સ્વરૂપવાળું અનાપાત-અસંલોકરૂપ પ્રથમ સ્થંડિલ નહીં હોતે છતે, અમનોજ્ઞ અને ઇતરના= અમનોજ્ઞ અને અસંવિગ્નના, આપાતવાળા અથવા ગૃહીઓના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ, અર્થાત્ પ્રથમ સ્થંડિલ નહીં હોતે છતે અમનોજ્ઞ સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવું જોઈએ, અમનોજ્ઞ સાધુના આપાતવાળું સ્પંડિલ નહીં હોતે છતે અસંવિગ્ન સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવું જોઈએ. અને અસંવિગ્ન સાધુના આપાતવાળું સ્પંડિલ પણ ન મળે તો ગૃહસ્થોના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ. અને ત્યાં ગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલમાં સંજ્ઞા વોસિરાવવા માટે જવામાં, આ યતનાની વિધિ છે – ગૃહસ્થો હોતે છતે એટલે સૂરના સૂત્ર એ પ્રકારના ન્યાયથી ગૃહસ્થોના આલોકવાળું સ્પંડિલ હોતે છતે, પ્રત્યેક માત્રકોકપ્રત્યેક એવું માત્રકનું ગ્રહણ=પ્રત્યેક સાધુને આશ્રયીને માત્રકોનું ગ્રહણ, કુરકુચા=કુરકુચાનું કરણ, અને પ્રચુર દ્રવ=ઘણું પાનક, ગ્રહણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦) માં દશ પ્રકારની શુદ્ધ ભૂમિ બતાવી, એ રૂપ ઉપન્યાસ ક્રમના પ્રામાણ્યથી પ્રથમ શુદ્ધ ભૂમિ અર્થાત્ જે ભૂમિમાં મનોજ્ઞસંવિગ્ન સાધુઓ જ આવતા હોય તેવી ભૂમિ, અનાપાત-અસંલોકવાળી છે, અને તેમાં જ સાધુએ મળત્યાગ માટે જવું જોઈએ અને જો મનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ ન હોય, તો સાધુએ અમનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જવું જોઈએ, અને તે ભૂમિ પણ ન મળે તો સાધુએ અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જવું જોઈએ અને તે ભૂમિ પણ ન મળે તો સાધુએ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જવું જોઈએ; પરંતુ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જાય ત્યારે, દરેક સાધુ સ્વતંત્ર માત્રકનું ગ્રહણ કરે અને પ્રચુર પાણીથી અપાનની શુદ્ધિ કરે, અને પગનું પ્રક્ષાલન કરે, જેથી ગૃહસ્થોને સંયમી એવા સાધુઓના આચાર પ્રત્યે “આ સાધુઓ શુદ્ધિ પણ પૂર્ણ કરતા નથી” એ પ્રકારનો દુર્ભાવ ન થાય. II૪૩oll. ગાથા : तेण परं पुरिसाणं असोअवाईण वच्च आवायं । इत्थिनपुंसगलोए परम्मुहो कुरुकुआ सा उ ॥४३१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy