SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રતિદિનક્રિયાવસ્તક “દિલ” દ્વારગાથા ૪૨૬ નિશાચરો-રાક્ષસો, દિવતિ અભિમુખ આવે છે, પવને કાપરિક્ષા=પવન હોતે છતે (પૂઠ કરવાથી) ઘાણના અર્થો નાકના મસાઓ, ચ=અને લોકોપઘાત થાય છે. ભૂમિકાને સૂર્ય અને ગામને (પૂંઠ કરવાથી) નવો વળી અવર્ણ=અયશ, થાય છે. ગાથાર્થ: ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય હોવાથી તે દિશામાં પૂંઠ ન કરવી, દક્ષિણ દિશામાં રાત્રે રાક્ષસો ફરતા હોવાથી તે દિશામાં રાત્રે પૂંઠ ન કરવી, પવનની દિશામાં પૂંઠ કરવાથી નાકમાં મસા અને લોકમાં ઉપઘાત થાય છે, વળી સૂર્ય અને ગામને પૂંઠ કરવાથી અવર્ણ થાય છે. ટીકા? इह दिक्चिन्तायामुत्तरपूर्वे दिशौ पूज्ये, याम्यायां दिशि निशाचरा अभिपतन्ति रात्रौ, अतः सदैव न पूर्वां पृष्ठतः कुर्यात्, नाऽपि चोत्तरां, न रात्रौ दक्षिणामिति सम्प्रदायः, उक्तं चाऽन्यैरपि - “ મૂત્રપુરીજે તુ, તિવા કુર્યાતુશ્કG: રાત્રી સાક્ષાત શૈવ, તથાડાયુને રીય શા" पवनमधिकृत्याह - घ्राणाऑसि च चशब्दाल्लोकोपघातश्च पवन इत्यतः पवनमपि न पृष्ठतः कुर्यात्, ग्रामसूर्यावधिकृत्याह - ग्रामे सूर्ये अनयोर्द्वयोरपि पृष्ठिदाने अवर्ण इत्यश्लाघा लोके, अत एतावपि न પૃષ્ઠત: તિતિ થાર્થ ઝરદા ટીકાર્ય આ દિચિંતામાં=આ મળવિસર્જન વિષયક દિશાની વિચારણામાં, ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે, પામ્યા દિશામાં=દક્ષિણ દિશામાં, રાત્રિમાં નિશાચરો=રાક્ષસો, અભિમુખ આવે છે. આથી સદા જ પૂર્વ દિશાને પૂંઠ ન કરે, અને ઉત્તર દિશાને પણ નહીં=મળવિસર્જન કરનાર સાધુ પૂંઠન કરે, રાત્રિમાં દક્ષિણ દિશાને નહીં=સાધુ પૂંઠ ન કરે. એ પ્રકારનો સંપ્રદાય છે, અને અન્યો વડે પણ કહેવાયું છે – મૂત્ર અને પુરીષ ઉભયને દિવસે ઉદક્ષુખ=ઉત્તર દિશા સન્મુખ, કરે, અને તે રીતે રાત્રિમાં દક્ષિણથી=દક્ષિણ દિશા સન્મુખ કરે, એનું આયુષ્ય હીન થતું નથી.” પવનને આશ્રયીને કહે છે – પવન હોતે છતે નાકના મસાઓ અને ૪ શબ્દથી લોકમાં ઉપઘાત થાય છે, એથી પવનને પણ પૂંઠ ન કરે. ગામ અને સૂર્યને આશ્રયીને કહે છે – ગામમાં અને સૂર્યમાં=આ બંનેને પણ પૃષ્ટિના દાનમાં=ગામ અને સૂર્ય એ બંનેને પૂંઠ કરવામાં, અવર્ણ=લોકમાં અશ્લાઘા, થાય છે. આથી આ બેને પણ=ગામ અને સૂર્ય એ બેને પણ, પૂંઠ ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઉત્તર અને પૂર્વદિશા લોકોને પૂજ્ય છે. તેથી તે બે દિશામાં પૂંઠ કરીને સાધુ સંજ્ઞા ન વોસિરાવે, અને દક્ષિણ દિશામાં રાત્રે રાક્ષસો ફરતા હોવાથી રાત્રે દક્ષિણ દિશામાં પૂંઠ ન કરે. વળી,બીજા મતવાળાએ પણ કહ્યું છે કે જે પુરુષ દિવસે ઉત્તર દિશામાં અને રાત્રે દક્ષિણ દિશામાં મુખ કરીને મળ-મૂત્ર વિસર્જન કરે છે, તેનું આયુષ્ય ક્ષીણ થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy